પુડુચેરીના શિક્ષણમંત્રી અને નમસ્વીયમે જણાવ્યું છે કે, સરકાર દ્વારા હાલ કોવિડ -19 કેસોમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને સ્કૂલોને રીઓપન કરવાનો નિર્ણય મોકૂફ રાખવાનો નક્કી કર્યું છે.
વધતાં જતાં કોરોનાના કેસોના કારણે નિર્ણય કરાયો હતો મોકૂફ
પુડુચેરીમાં 16 જુલાઇથી રીઓપન થવાની હતી સ્કૂલો
ટૂંક સમયમાં જ સ્કૂલો રીઓપન કરવાની ડેટ થશે જાહેર
કેન્દ્રીય શાસિત પ્રદેશ પુડુચેરીએ થોડા સામે પેહલા સ્કૂલો રીઓપન કરવાના નિર્ણયને મોકૂફ કર્યો હતો. તાજેતરમાં પુડુચેરીમાં કોરોના સંક્રમિત 20 બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવાના મામલા સામેઆવ્યા છે. તેથી પુડુચેરી સરકાર દ્વારા સ્કૂલ રીઓપન કરવાના નિર્ણય પર પુન:વિચાર કરવાની માંગણી કરવામાં આવી રહી હતી. હવે પુડુચેરી સરકારે થોડા સમય માટે સ્કૂલો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.
સ્કૂલો રીઓપન કરવાનો નિર્ણય કરાયો મોકૂફ
પુડુચેરીમાં 16 જુલાઇથી સ્કૂલો રીઓપન થવાની હતી. તે ઉપરાંત સૌપ્રથમ ધોરણ 9થી 12 માટે સ્કૂલો રિઓપન થવાની હતી. જોકે ગૃહ મંત્રી, શિક્ષણ મંત્રી અને નમસ્વીયમે જણાવ્યું છે કે, સરકાર દ્વારા હાલ કોવિડ-19 કેસોમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને સ્કૂલો રીઓપન કરવાનો નિર્ણય મોકૂફ કરવામાં આવ્યો છે. પરિસ્થિતિ અનુકૂળ બને ત્યારબાદ સરકાર દ્વારા સ્કૂલો રીઓપન કરવા માટેની નવી તારીખની જાહેરાત કરવામાં આવશે.
કોંગ્રેસ અને અન્નાદ્રામૂક પાર્ટીએ કર્યો હતો નિર્ણયનો વિરોધ
નમસ્વીયમે વધુમાં જણાવ્યું કે શિક્ષા વિભાગના અધિકારીઓ અને CM એન રંગાસામીના સાથે ચર્ચા કર્યા બાદ સ્કૂલો રીઓપન ન કારવનો નિર્ણય લેવામાં આવ્યો છે. સ્કૂલો રીઓપનના નિર્ણયનો વિરોધ કરનાર વિવિધ વર્ગોના સિવાય કોંગ્રેસ અને અન્નાદ્રામૂક પાર્ટી પણ તેમાં સામેલ હતા. સ્કૂલ રીઓપન કરવાની નવી તરીક પર ટૂંક સમયમાં જ નિર્ણય લેવામાં આવશે.
નોઇડા અને ગાઝિયાબાદમાં પણ બાળકોમાં કોરોના સંક્રમણના કેસો સામે આવ્યા
નોઇડા અને ગાઝિયાબાદમાં પણ બાળકોમાં કોરોના સંક્રમણના કેસો સામે આવ્યા છે અને આ પછી દેશમાં કોરોનાની ત્રીજી લહેરનની આશંકા પણ વધી ગઈ છે. આ બધા વચ્ચે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ પણ ત્રીજી લહેરને લઈ પણ ચેતવણી આપી દીધી છે અને એમ પણ કહ્યું છે કે અમે પણ ત્રીજી લેહરના પ્રારભિક સ્ટેજ પર છીએ. પોંડિચેરીમાં કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ 20 બાળકો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ સેવાના નિર્દેશક એસ મોહન કુમાર દ્વારા આ જાણકારી આપવામાં આવી છે. આ બધા જ બાળકોને હાલ ઇન્દિરા ગાંધી સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે આ બાળકોની ઉંમર કઈ છે તે હાલ ચકાસવામાં આવી રહ્યું છે.
કોવિડ19 ના ત્રીજા વેવનાં શરૂઆતના તબક્કામાં
WHO ના ચીફ ટેડરોસ અધનોમ ગેબ્રેયેસસે ગુરુવારે કહ્યું હતું કે ''દુર્ભાગ્યે આપણે કોવિડ19 ના ત્રીજા વેવનાં શરૂઆતના તબક્કામાં છીએ. કોરોના વાયરસ દિનપ્રતિદિન વધારે મજબૂત બની રહ્યો છે. નવા નવા વેરિયન્ટ આવી રહ્યા છે, તે પૈકી ડેલ્ટા વેરિઅન્ટ હાલમાં 111 દેશોમાં ફેલાઈ ચૂક્યો છે અને આવનાર સમયમાં તે સૌથી પ્રભાવી વેરિયન્ટ તરીકે જગત માટે પડકારરૂપ બની શકે છે.