કાશ્મીરી પંડિતોની તાજેતરની હત્યાના વિરોધમાં બડગામમાં એરપોર્ટ રોડ તરફ કૂચ કરી રહેલા પ્રદર્શનકારીઓ પર પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા હતા.
બડગામમાં કાશ્મીરી પંડિતની હત્યા બાદ ઘાટીના લોકોમાં ભારે ગુસ્સો
કર્મચારી સંગઠન દ્વારા કાશ્મીરી પંડિતની હત્યા સામે ન્યાયની માંગ
બડગામમાં પ્રદર્શનકારીઓ પર પોલીસે ટીયર ગેસ છોડ્યા
બડગામમાં કાશ્મીરી પંડિતની હત્યા બાદ ઘાટીના લોકોમાં ભારે ગુસ્સો
ગુરુવારે રાત્રે બડગામમાં કાશ્મીરી પંડિત રાહુલ ભટ્ટની હત્યા બાદ ઘાટીના લોકોમાં ભારે ગુસ્સો છે. રાહુલની હત્યાના વિરોધમાં ગઈકાલ રાતથી જ લોકો જોરશોરથી વિરોધ કરી રહ્યા છે. કાશ્મીરી પંડિતોએ શેખપુરા, બડગામમાં આતંકવાદીઓ દ્વારા ચદૂરા તહસીલ ઓફિસના કર્મચારી રાહુલ ભટની હત્યાના વિરોધમાં પ્રદર્શન કર્યું.
#WATCH Police fire tear gas shells at protestors to prevent them from moving towards the Airport Road in Budgam during their protest demonstration against the recent killings of Kashmiri Pandits in the Union Territory pic.twitter.com/EPHvomqH9j
કર્મચારી સંગઠન દ્વારા કાશ્મીરી પંડિતની હત્યા સામે ન્યાયની માંગ
વિરોધ કરતાં એક કાશ્મીરી પંડિત અમિતે કહ્યું હતું કે, અમને લેફ્ટનન્ટ ગવર્નર દ્વારા સુરક્ષા પૂરી પાડવામાં આવે, નહીં તો અમે મોટી સંખ્યામાં રાજીનામું આપીશું. બીજી બાજુ કાશ્મીરી પંડિત કર્મચારી સંગઠનના સભ્યોએ બડગામમાં રાહુલ પંડિતની હત્યા સામે ન્યાયની માંગ સાથે પ્રદર્શન કર્યું. એસોસિએશનના સભ્ય સંદીપ ભટ્ટે કહ્યું- અમે સરકારને કહ્યું છે કે અમારું તે સ્થાનો પર પુનર્વસન કરે જ્યાં અમે સુરક્ષિત અનુભવી શકીએ.
Kashmiri Pandit killing: Protests erupt in J-K demanding justice
જમ્મુ અને કાશ્મીરમાં તાજેતરમાં કાશ્મીરી પંડિતોની હત્યાના વિરોધમાં બડગામમાં એરપોર્ટ રોડ તરફ કૂચ કરી રહેલા પ્રદર્શનકારીઓ પર પોલીસે ટીયર ગેસ છોડ્યો હતો. બીજી તરફ રાહુલ ભટ્ટના પરિવારને મળવા આવેલા પૂર્વ ડેપ્યુટી CM નિર્મલ સિંહની સામે લોકોએ ઉગ્ર વિરોધ કર્યો હતો.વિરોધ કરી રહેલા લોકો કાશ્મીરી હિંદુઓ છે જેઓ કહી રહ્યા છે કે તેમને નોકરી નહીં સુરક્ષા જોઈએ છે.
રાહુલના પિતાએ કહ્યું- નામ પૂછીને ગોળી મારી
રાહુલના પિતાએએક મીડિયા રિપોર્ટમાં જણાવ્યું હતું આ ઘટનાના આઠ દિવસ પહેલા જ રાહુલ તેના કાકાને મળવા ઘરે આવ્યો હતો. પરંતુ અચાનક ગુરુવારે તેમને કોઈ કામ માટે પાછા બોલાવવામાં આવ્યા હતા. કાશ્મીરમાં કાશ્મીરી પંડિતોને ટાર્ગેટ કરવામાં આવે છે તેવા સવાલ પર રાહુલના પિતાએ ભીની આંખો સાથે કહ્યું કે, આતંકવાદીએ મારા પુત્રની હત્યા કરતા પહેલા તેના નામની પુષ્ટિ કરી હતી. આનાથી વધુ શું કહી શકાય. તે સમયે ત્યાં ચાર લોકો હાજર હતા પરંતુ નામના કારણે મારા પુત્રની હત્યા કરવામાં આવી હતી. મૃતકના પરિવારજનોએ કહ્યું કે, જ્યાં સુધી રાહુલને ગોળી મારનાર આતંકવાદીને ફાંસી આપવામાં નહીં આવે કે સુરક્ષા દળોની ગોળીઓથી તે માર્યો નહીં જાય ત્યાં સુધી મનને સંતોષ થશે નહીં.