આઈઆઈટી (ભારતીય ટેકનિકલ સંસ્થા) રૂરકીના સંશોધનકારોએ પ્રોટીનના નવા ઈમ્યૂનોમોડ્યુલેટરી ઉપયોગની શોધમાં મોટી સફળતા મેળવી છે. આ નવા ઉપયોગથી સેપ્સિસ (લોહીને લગતો રોગ) અને સોજા જેવી બીમારીની સારવાર વધુ સરળ બની છે. સંસ્થાના જૈવિક ટેકનિક વિભાગના આસિ. પ્રોફેસર અને સંશોધક પ્રમુખ ડો. પ્રણીતા પી. સારંગીએ જણાવ્યું કે ઈમ્યુન સેલ્સ યોગ્ય રીતે કામ નહિ કરતાં સેપ્સિસની ગંભીર સમસ્યા અને સોજાની બીમારી આવી જાય છે.
સેપ્સિસની બીમારી વધી જવાથી ન્યુટ્રોફિલ્સ અને એબનોર્મલ એકિટવેશન અને લોકલાઈજેશનની સમસ્યા ઊભી થાય છે. ઈમ્યુન સિસ્ટમ (પ્રતિરક્ષા પ્રણાલી) યોગ્ય રીતે કામ નહિ કરતાં આવા સેલ્સ ફેફસાં કિડની અને િલવરમાં જમા થઈ જાય છે ત્યારે આવી સ્થિતિમાં શરીરનાં વિવિધ અંગ કામ કરતાં બંધ થઈ જતાં કેટલાક કિસ્સામાં વ્યકિતનું મોત પણ થઈ શકે છે તો વળી અમુક કેસમાં અનેન્ટિબાયોટિક્સના પ્રયોગથી તબિયત લથડી જાય છે. તેનું કારણ બેકટેરિયાના કમ્પોનેટ તૂટી લોહીમાં ભળી જતાં ઈમ્યુન સેલ્સ વધુ એક્ટિવ થઈ જાય છે.