મની લોન્ડ્રિંગમાં નામ સામે આવ્યાં બાદ જેકલીન ફર્નાન્ડીઝની પરેશાની ઘટી રહી નથી. એક તરફ ઈડી વારંવાર અભિનેત્રીને સમન્સ પાઠવી રહી છે, તો બીજી તરફ જબરન વસૂલી કેસમાં નામ આવ્યાં બાદ અભિનેત્રીના હાથમાંથી અનેક પ્રોજેક્ટ્સ જઇ રહ્યાં છે.
મની લોન્ડ્રિંગમાં નામ સામે આવ્યાં બાદ જેકલીન ફર્નાન્ડીઝની મુશ્કેલી વધી
ઈડીએ બુધવારે ચાર્જશીટ દાખલ કરીને જેકલીનને આરોપી બનાવી હતી
જાણો અભિનેત્રીના વકીલે તેના બચાવમાં શું કહ્યું
શું છે સમગ્ર મામલો?
મીડિયા રિપોર્ટસમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે જેકલીન ફર્નાન્ડીઝ ઝડપથી કામ ગુમાવી રહી છે. હાલમાં તેને બચ્ચન પાંડે અને વિક્રાંત રાણા જેવી ફિલ્મોમાં દેખાઈ હતી. જે જૂના પ્રોજેક્ટ્સ હતા. અનિશ્ચિતતાને જોઇને કોઈ પણ નવી ફિલ્મો માટે તેને સાઈન કરવામાં આવતી નથી. સુકેશ ચંદ્રશેખર મની લોન્ડ્રિંગ કેસમાં ઈડીએ બુધવારે ચાર્જશીટ દાખલ કરીને જેકલીનને આરોપી બનાવી હતી. જાણકારી મુજબ, ઈડીનુ આ માનવુ છે કે અભિનેત્રીને આ પહેલેથી જ ખબર હતી કે ઠગ સુકેશ એક ગુનેગાર છે. આ સાથે તેને એવી પણ ખબર હતી કે સુકેશ જબરન વસૂલી કરનારો શખ્સ છે. આ જ કારણ છે કે ઈડીએ જેકલીન પર ગાળીયો કસેલો છે. જો કે, હજી સુધી તેની ધરપકડ કરવામાં આવી નથી. પરંતુ અભિનેત્રીને દેશની બહાર યાત્રા કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
અભિનેત્રીના વકીલ પ્રશાંત પાટીલે જણાવ્યું કે અભિનેત્રીને અત્યાર સુધી ફરિયાદની કોઈ સત્તાવાર કોપી મળી નથી. તેમણે કહ્યું, ઈડી દ્વારા દાખલ કરવામાં આવી રહેલી ફરિયાદ અંગે અમને માત્ર મીડિયા રિપોર્ટ્સ દ્વારા જાણકારી મળી છે. આ સંદર્ભે ઈડી અથવા કોર્ટ તરફથી કોઈ પણ સત્તાવાર સુચના મળી નથી. જો કે, મીડિયા રિપોર્ટસમાં જણાવવામાં આવેલા અહેવાલ સાચા છે તો આ દુર્ભાગ્યપૂર્ણ છે કે મારા ક્લાઈન્ટને આ કેસમાં આરોપી તરીકે રજૂ કરવામાં આવ્યો છે.