કોંગ્રેસની રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મતવિસ્તાર વારાણસીમાં રોડ શો કરશે. કોંગ્રેસ દ્વારા પ્રિયંકા ગાંધીના રોડ શોને લઇ તડામારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. પાર્ટી કાર્યાલય દ્વારા પ્રિયંકા ગાંધીના રાત્રિ પ્રવાસને રદ્દ કરવામાં આવ્યો છે. પ્રિયંકા ગાંધી સલેમપુરમાં એક જનસભાને સંબોધન કરશે.
પ્રિયંકા ગાંધી આજે સાંજે વડાપ્રધાન મોદીના ગઢ વારાણસીમાં રોડ શો કરવા જઈ રહ્યા છે. પ્રિયંકા ગાંધી વારાણસીના લંકા સ્થિત માલવીય પ્રતિમા પર પુષ્પાજંલિ કર્યા બાદ ગોદૌંલિયા સુધી રોડ શો કરશે. પ્રિયંકા ગાંધી ત્યાર બાદ કાશી વિશ્વનાથ અને કોતવાલ શહેરમાં કાળ ભૈરવના પણ આશીર્વાદ લેશે.
પ્રિયંકા ગાંધીનો આ રોડ શો રાતના 10 વાગ્યા સુધી ચાલશે. રોડ શો બાદ પ્રિયંકા ગાંધી દિલ્લી જવા માટે રવાના થશે. રોડ શોના પગલે પ્રિયંકા ગાંધીએ પોતાના રાત્રિના કાર્યક્રમો પણ રદ કર્યા છે. આજે બપોરે તેઓ દિલ્લીથી વારાણસી જવા માટે રવાના થશે. પ્રિયંકા ગાંધી બાબતપુર એરપોર્ટ પર આવશે અને ત્યાંથી હેલિકોપ્ટરમાં સલેમપુર જશે.
પ્રિયંકા ગાંધી અહીં એક જનસભાને સંબોધન કરશે. પ્રિયંકા ગાંધીનો માલવિય પ્રતિમાને પુષ્પાંજલિ કર્યા બાદ રોડ શો શરૂ થશે. જે વિશ્વનાથ મંદિર સુધી યોજાશે. બાદમાં તેઓ વિશ્વનાથ મંદિરમાં પૂજા અર્ચના કરશે. ત્યાંથી તેઓ કાળ ભૈરવ મંદિર પહોંચશે અને પૂજા અર્ચના કરશે.
કોંગ્રેસના મીડિયા પ્રભારીના જણાવ્યા અનુસાર પ્રિયંકા ગાંધી માટે બાબતપુર એરપોર્ટ પર 3.30 થી 4.30 સુધીનો સમય રિઝર્વ રાખવામાં આવ્યો છે. આ દરમિયાન પ્રિયંકા ગાંધી પ્રમુખ કાર્યકર્તાઓ સાથે બેઠક કરશે. રોડ શો અગાઉ પ્રિયંકા ગાંધી સિંહદ્વાર સ્થિત માલવિય પ્રતિમા સ્થળ પર એકત્ર લોકોને સંબોધન કરશે.