પ્રિયંકા ચોપરા અને નિક જોનસના લગ્નને આજે 2 વર્ષ પૂર્ણ થયા. 2 ડિસેમ્બર 2018ના રોજ હિન્દુ અને ક્રિશ્ચિયન રીતિ-રિવાજથી બંનેએ જોધપુરના ઉમેદ ભવનમાં લગ્ન કર્યા હતા. કપલના લગ્નનો કાર્યક્રમ 4 દિવસ ચાલ્યો હતો. તેમના લગ્નમાં દેશ-વિદેશમાંથી મહેમાનો સામેલ થયા હતા ત્યારે હાલમાં જ પ્રિયંકાએ તેના બેડરૂમ સિક્રેટ શૅર કર્યા હતા.
પ્રિયંકા ચોપરાની લગ્નતિથી
બેડરૂમ સિક્રેટ કર્યા શૅર
એક શરતથી ચાલે છે કપલ
કેટલાક મહિના પહેલા પ્રિયંકાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, આ થોડુ અજીબ લાગશે પરંતુ હું ઉઠુ ત્યારે નિકને મારો ચહેરો જોવો ગમે છે. હું તેને કહું છુ કે એક મિનીટ હું મસ્કરા અને ચહેરા પર થોડુ મોશ્ચરાઇઝર લગાવી લઉ પરંતુ તે મને ના પાડે છે કે તને આવી રૉ જોવી જ ગમે છે.
પ્રિયંકાના જણાવ્યા પ્રમાણે નિક તેને કહે છે કે મને તારો ચહેરો ઘૂરવા દે, તુ હજુ સુધી વ્યવસ્થિત રીતે ઉઠી નથી, મજાક નથી કરી રહ્યો પરંતુ તું ખુબ સુંદર દેખાય છે.
બંને વચ્ચે બેલેન્સ કેવી રીતે છે
પ્રિયંકાને જ્યારે આ પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેણે જવાબ આપ્યો કે અમારી વચ્ચે એક જ નિયમ છે અને તે અમે ફૉલો કરીએ છીએ જેના કારણે અમારી વચ્ચે બેલેન્સ છે. અમારા બીઝી શિડ્યુઅલ વચ્ચે પણ અમને બંનેને આ નિયમ લાગૂ પડે છે.
આ નિયમ અમે તોડતા નથી કદાચ એટલા માટે જ અમારો સંબંધ ટકી રહ્યો છે. તે નિયમ છે કે બે કે 3 અઠવાડિયાથી વધુ અમારે અક બીજા વગર રહેવું નહી. આટલો સમય થાય એટલે અમારે એક બીજા સાથે સમય સ્પેન્ડ કરવાનો જ તેવો નિયમ છે અને કદાચ એટલા માટે અમારા સંબંધો બેલેન્સ્ડ છે.
પ્રિયંકાએ લગ્નમાં કોઇ કમી નહોતી રાખી અને જ્યારે તેણે તેના સંબંધની વાત જાહેર કરી ત્યારે લોકો અટકળો લગાવી રહ્યા હતા કે તે યુરોપ કે અમેરિકામાં લગ્ન રાખશે પરંતુ જ્યારે તેણે જોધપુરમાં લગ્ન રાખ્યા ત્યારે દરેકની બોલતી બંધ થઇ ગઇ હતી.