ડિસઈન્વેસ્ટમેન્ટ માટે સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા અને ઈન્ડિયન ઓવરસીઝ બેન્કના નામની ભલામણ નીતિ આયોગે કરી છે.
કેન્દ્ર સરકારે ડિસઈન્વેસ્ટમેન્ટ માટે બે બેન્કોને શોર્ટલિસ્ટ કરી
આ બેન્ક સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા અને ઈન્ડિયન ઓવરસીઝ બેન્ક
બન્ને બેન્કોમાં સરકાર 51 ટકા ભાગીદારી વેચી શકે છે
કેન્દ્ર સરકારે ડિસઈન્વેસ્ટમેન્ટ માટે બે બેન્કોને શોર્ટલિસ્ટ કરી છે. આ બેન્ક સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા અને ઈન્ડિયન ઓવરસીઝ બેન્ક છે. એક રિપોર્ટ અનુસાર ડિસઈન્વેસ્ટમેન્ટના પહેલા પગલામાં બન્ને બેન્કોમાં સરકાર 51 ટકા ભાગીદારી વેચી શકે છે. ડિસઈન્વેસ્ટમેન્ટ માટે કેન્દ્ર સરકાર બેન્કિંગ રેગ્યુલેશન એક્ટમાં ફેરફારની સાથે અમુક અન્ય કાયદામાં પણ ફેરફાર કરશે. સાથે જ RBIની સાથે પણ ચર્ચા કરવામાં આવી છે.
ડિસઈન્વેસ્ટમેન્ટ માટે સેન્ટ્ર્લ બેન્ક ઓફ ઈન્ડિયા અને ઈન્ડિયન ઓવરસીઝ બેન્કના નામની ભલામણ નીતિ આયોગે કરી હતી. આયોગને ખાનગીકરણ માટે સાર્વજનિક ક્ષેત્રની બે બેન્કો અને એક વીમા કંપનીનું નામ પસંદ કરવાની જવાબદારી સોંપી છે.
શેરમાં લાગ્યુ અપર સર્કિટ
ડિસઈન્વેસ્ટમેન્ટની ખબર બાગ બન્ને બેન્કોના શેરોમાં આજે 20% સુધી ઉછાળો જોવા મળ્યો છે અને અપર સર્કિટ લાગ્યું. સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયાના શેર 20% વધીને 24.30 રૂપિયા પર વ્યાપાર કરી રહ્યા હતા. જ્યારે ઈન્ડિયાન ઓવરસીઝ બેન્કના શેર 19.80% વધીને 52 અઠવાડિયાના ઉચ્ચ સ્તર 23.60 રૂપિયા પર વ્યવસાય કરી રહ્યા હતા.
ફેબ્રુઆરીમાં સામે આવ્યા આ 4 નામ
નાણામંત્રી નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ 2021-22ના બજેટમાં બે સરકારી બેન્કો અને એક વીમા કંપનીના ખાનગીકરણની જાહેરાત કરી હતી. સરકારે FY22 માટે ડિસઈન્વેસ્ટમેન્ટ દ્વારા 1.75 લાખ કરોડ રૂપિયા ભેગા કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં રિપોર્ટ આવ્યો હતો કે કેન્દ્ર સરકારે 4 મિડ સાઈઝ બેન્કોને પ્રાઈવેટાઈઝેશન માટે શોર્ટલિસ્ટ કરી છે. જેમાં બેન્ક ઓફ મહારાષ્ટ્ર, બેન્ક ઓફ ઈન્ડિયા, ઈન્ડિયન ઓવરસીઝ બેન્ક અને સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયાનુ નામ શામેલ છે. 4 બેન્કોમાંથી 2નું ખાનગીકરણ નાણાકીય વર્ષ 2021-22માં થશે.