યૂક્રેનના શહેર ખારકિવમાં ગુરુવારે એક ખાનગી નર્સિંગ હોમમાં આગ લાગવાથી 15 લોકોના મોત થયા છે અને 11 લોકો ગંભીર ઇજાગ્રસ્ત થયા છે.
યુક્રેનના ખારકિવમાં બે માળની બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી હતી. આ આગમાં મોટી જાનહાનિ થવા પામી છે. 15 લોકોના મોત થયા છે અને 11 લોકો ઇજાગ્રસ્ત થયા છે. 'ઇંટરફૈક્સ' સમાચાર એજન્સીએ ખારકિવ પોલીસના હવાલાથી મળતી માહિતી અનુસર, નર્સિંગ હોમના મલિક અને કર્મચારીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે.