બાળકોના રસીકરણ અંગે નેશનલ ટેકનિકલ એડવાઇઝરી ગ્રુપના વડા ડો.એન.કે.અરોરાએ જણાવ્યું કે, જે બાળકોને પહેલેથી જ ગંભીર બીમારી છે તેમને પહેલા વેક્સિન અપાશે.
નેશનલ ટેકનિકલ એડવાઇઝરી ગ્રુપના વડા ડો.એન.કે.અરોરાએ કર્યો ખુલાસો
જે બાળકોને ગંભીર બીમારી છે તેમને પહેલા વેક્સિન અપાશે
સ્વસ્થ્ય બાળકોને પછીથી વેક્સિન આપવાનું આયોજન
ડો.એન.કે.અરોરાએ કહ્યું કે અમે ગંભીર બીમારી ધરાવતા બાળકો માટે કોવિડ-19 રસીકરણ પસંદ કરીશું, જેથી અમે તેમને તાત્કાલિક રસીકરણ કરી શકીએ અને જે બાળકો સ્વસ્થ્ય છે તેમનું પછીના કોઈ સમયે વેક્સિનેશન કરવાનું આયોજન છે.
નવેમ્બરમાં બાળકોની કોરોના વેક્સિન આવવાની સંભાવના
હેલ્થ નિષ્ણાંતોનું કહેવું છે કે નવેમ્બરમાં બાળકોની કોરોના વેક્સિન આવી શકે છે. હાલમાં બાળકોની 2-3 વેક્સિનની ટ્રાયલ ચાલી રહી છે અને તેમાં ઘણા સારા પરિણામો પણ મળ્યાં છે. તેનાથી આશા રાખી શકાય છે કે આવતા મહિને બાળકોની વેક્સિન આવી શકે છે. આવું થાય તો ઘણી મોટી રાહત રહેશે કારણ કે છેલ્લા 1 મહિનાથી બાળકોના કોરોનાગ્રસ્ત થવાનું પ્રમાણ વધી રહ્યું છે.
કર્ણાટકના આરોગ્ય પ્રધાન કે સુધાકરે રવિવારે રાષ્ટ્રીય રાજધાનીમાં કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા સાથેની બેઠક બાદ જણાવ્યું હતું કે, કેન્દ્રને બાળકો માટે કોવિડ-19 એન્ટી કોવિડ-19 રસી માટે ઝાયેદસ કેડિલા સાથે હાલમાં ચાલી રહેલી ચર્ચાના અંતિમ રાઉન્ડમાંથી સકારાત્મક પરિણામોની અપેક્ષા છે.