ભારત સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર કે. વિજય રાઘવને કોરોના મહામારીની સારવારમાં કામ આવતી દવા રેમડેસિવિરની અછતના સમાચારો વચ્ચે કહ્યું કે, 'આ કોઈ જાદુઈ દવા નથી', આ નિવેદન બાદ લોકો ભડક્યા.
રેમડેસિવિર કોઈ જાદુઈ દવા નથીઃ કે. વિજય રાઘવન
ડરમાં આવીને ખરીદવું યોગ્ય નથીઃ કે. વિજય રાઘવન
કે. વિજય રાઘવનના નિવેદન પર લોકોએ પોતાનો ગુસ્સો ઠાલવ્યો
રાઘવને ટ્વિટની નીચે કૉમેન્ટ્સમાં લોકોએ પોતાનો ગુસ્સો ઠાલવ્યો. કોઇએ તેમને જમીની સ્થિતિથી સજાગ થવાની સલાહ આપી તો કોઇએ પૂછ્યું કે જો આનાથી કોરોનાની સારવાર નથી થતી તો ડૉક્ટર આના પર વધુ ભાર કેમ આપી રહ્યા છે? જોકે કેટલાક લોકોએ રાઘવનના નિવેદનનું સમર્થન કર્યું અને કેટલાકે તેમને રેમડેસિવિરનો વિકલ્પ પૂછ્યો.
શું કહ્યું છે મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારે, જાણો...
રાઘવને એક ખાનગી ન્યૂઝ ચેનલ સાથે વાતચીતમાં કહ્યું કે, રેમડેસિવિર એક ડ્રગ છે, જેની એક્શન વાયરસના જીનોમ વિરૂદ્ધ લેબોરેટરીમાં ટેસ્ટ કરવામાં આવી હતી. જ્યારબાદ જ્યારે (કોરોના) દર્દીની સારવારમાં ઉપોયગ કરવામાં આવી તો રિઝલ્ટ એ છે કે તે હોસ્પિટલથી થોડા પહેલા રજા અપાવવામાં મદદ કરે છે. આ એવી દવા નથી જેનાથી તમે કોરોનાથી બચી શકો છો, આ તમને સાજા કરી દેશે. તમે ડૉક્ટરની સલાહ પર લઇ શકો છો. આ કોઈ જાદુઈ સારવાર કે દવા નથી.
વધુમાં તેમણે કહ્યું કે, આનો ઉપયોગ છે, પરંતુ ડરમાં આવીને ખરીદવું યોગ્ય નથી. જ્યાં સુધી વાત હોસ્પિટલોમાં રેમડેસિવિરની અછતની છે તો ઉપલબ્ધતા વધારવામાં આવશે. તેની સાથે જ તેમણે સરકારના પ્રયાસોનો પણ ઉલ્લેખ કર્યો.
રાઘવને કરી આ અપીલ
રાઘવને ટ્વિટમાં લખ્યું કે, મારુ કહેવું છે કે આ ડ્રગ કોવિડ-19ની સારવાર નથી કરતુ. જો હોસ્પિટલમાં દાખલ છો તો માત્ર ડૉક્ટરની સલાહ પર જ આને લો. પોતાના ડૉક્ટરનું કહેવું માનો અને આને લખાવવાનું દબાણ તેના પર ન કરો. આ દવા જો સારી રીતે કામ કરે છે તો તમને હોસ્પિટલથી થોડા દિવસ પહેલા રજા મળી શકે છે, પરંતુ આ કોઇ જાદુઈ દવા નથી. ડરમાં આવીને આને ન ખરીદો.