નર્મદામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના કાર્યક્રમના લોકાર્પણ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સી-પ્લેન દ્વારા ઉતરણ કરવાનો કાર્યક્રમ રદ કરાયો છે. નર્મદા ડેમ સાઈટ પર તળાવ નંબર-ત્રણમાં વધુ પડતા મગર હોવાને કારણે કાર્યક્રમ રદ કરાયો છે.
અગાઉ પીએમ મોદી સીધા સાધુ બેટ ખાતે સી-પ્લેન દ્વારા લેન્ડ કરવાના હતા. મહત્વનું છે કે PM મોદીએ નદીઓનો વિકાસ કરીને તેમાં સી-પ્લેન ઉડાડીને ટુરીઝમ વિકસાવવો નવો ચિલો ચાતર્યો છે. અગાઉ અમદાવામાં સાબરમતી નદીમાં સી-પ્લેન ઉડાડ્યું હતું. તો હવે તેઓ નર્મદા ડેમ પાસે સ્ટેટ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ માટે સી-પ્લેનમાં જ નર્મદા ડેમના તળામાં લેન્ડ થાય તેવી શક્યાતા હતી.
કેટલાક અધિકારીઓએ નર્મદા ડેમના તળાવ નંબર-3ની મુલાકાત લીધી હતી. અને તેમાં પીએમ મોદી સી-પ્લેન દ્વારા કેવી રીતે લેન્ડ થશે અને ત્યાંથી તેમને સ્ટેસ્યુ ઓફ યુનિટી સુધી કેવીરીતે લઈ જવા અંગે અધિકારી ચર્ચા વિચારણા કરી રહ્યા હતા. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પ્રચારના અંતિમ દિવસોમાં પીએમ મોદી સાબરમતી નદીમાં સી-પ્લેનમાં બેસીને ધરોઈ ડેમ સુધી ગયા હતા.
બાદમાં કોંગ્રેસ સહિતના વિપક્ષોએ ભારે ટીકા કરી હતી. તો આવી ટીકાઓને અવગણીને પ્રવાસન ક્ષેત્રને પ્રોત્સાહન આપવા પીએમ મોદી ફરીથી સી-પ્લેનની સવારી કરીને સીધા નર્મદા ડેમમાં ઉતરે તેવું આયોજન થઈ રહ્યું છે.