પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. પીએમ મોદી 21 માર્ચથી બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. પીએમ મોદી સ્ટેચ્યૂ ઓફ યૂનિટીની મુલાકાત લેશે.
21 માર્ચથી PM મોદી બે દિવસીય ગુજરાતના પ્રવાસે
PM મોદી સ્ટેચ્યૂ ઓફ યુનિટીની લેશે મુલાકાત
UN મહેતા હોસ્પિટલના લોકાર્પણ કાર્યક્રમમાં આપશે હાજરી
પ્રાપ્ત મળતી વિગત અનુસાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 21 માર્ચથી બે દિવસની ગુજરાત મુલાકાતે આવી રહ્યાં છે. પીએમ મોદી અમદાવાદની UN મહેતા હોસ્પિટલના લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપશે.
એક મળતાં અહેવાલ મુજબ પીએમ મોદી બે દિવસના ગુજરાત પ્રવાસ દરમિયાન વડોદરાના એક ઇનોગ્રેશન કાર્યક્રમમાં પણ હાજરી આપશે. આ સાથે પીએમ મોદી સ્ટેચ્યૂ ઓફ યૂનિટીન પણ મુલાકાત લેશે
જો કે સૂત્રોને મળતી જાણકારી મુજબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલમાં જ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની અમદાવાદની મુલાકાત સમયે મોટેરા સ્ટેડિયમમાં યોજાયેલા નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ બાદ આગામી મુલાકાતમાં મોટેરા સ્ટેડિયમનું ઉધ્ધાટન કરે તેવી શક્યતા છે. જો કે હજુ આ અંગેની કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.