દક્ષિણ ફિલ્મોના સુપરસ્ટાર રજનીકાંતને ફિલ્મી દુનિયાનો સૌથી મોટો ઍવોર્ડ દાદા સાહેબ ફાળકે એનાયત કરવામાં આવશે. જેના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અભિનંદન પાઠવ્યા છે.
દાદા સાહેબ ફાળકે ઍવોર્ડ રજનીકાંતને એનાયત
મનોરંજનની દુનિયાનો સૌથી મોટો ઍવોર્ડ
વડાપ્રધાન મોદીએ પાઠવ્યા અભિનંદન
Popular across generations, a body of work few can boast of, diverse roles and an endearing personality...that’s Shri @rajinikanth Ji for you.
It is a matter of immense joy that Thalaiva has been conferred with the Dadasaheb Phalke Award. Congratulations to him.
કેન્દ્રીય સુચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે ગુરુવારે આ વાતની જાણકારી આપી છે. 71 વર્ષના રજનીકાંતને 51મો દાદા સાહેબ ફાળકે ઍવોર્ડ 3 મેના રોજ આપવામાં આવશે. આ ઘોષણા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ફેન્સે અભિનંદન આપ્યા છે.
રજનીકાંતને દાદા સાહેબ ફાળકે ઍવોર્ડ આપવાની ઘોષણા કર્યા બાદ વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરી કે ઘણી પેઢીઓમાં ફેમસ, જબજદસ્ત કામ જે ઘણા ઓછા લોકો કરી શકે છે, વિવિધ ભૂમિકાઓ અને એક સારુ વ્યક્તિત્વ...આવા છે રજનીકાંતજી. અપાર હર્ષનો વિષય છે કે થલાઇવાને દાદા સાહેબ ફાળકે ઍવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. અભિનંદન.
Immensely humbled and honoured with your greetings and the most prestigious #DadasahebPhalkeAward award respected and dearest Shri @narendramodi ji. My heartfelt thanks to you and the government of india 🙏🏻 https://t.co/XT9X6paSNT
PMનુ ટ્વિટ જોયા બાદ રજનીકાંતે સોશ્યલ મિડીયા પર લખ્યુ, ભારત સરકાર, આદરણીય અને પ્રિય નરેન્દ્ર મોદી, પ્રકાશ જાવડેકર અને જ્યુરીને મને દાદા સાહેબ ફાળકે ઍવોર્ડ માટે સિલેક્ટ કરવા બદલ આભાર. હું આ ઍવોર્ડ તે લોકોને ડેડીકેટ કરુ છુ જે મારી જર્નીના સાક્ષી રહ્યાં છે. ભગવાનનો આભાર.
રજની કાંતે 1975માં ડેબ્યુ કર્યુ હતુ. એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં તેમને 46 વર્ષ થઇ ગયા છે. રજનીકાંત 12મા સાઉથ ઇન્ડિયન એક્ટર છે જેમને દાદા સાહેબ ફાળકે ઍવોર્ડ મળ્યો છે. આ પહેલા ડૉ. રાજકુમાર, અક્કીનેની નાગેશ્વર રાવ, કે બાલાચંદર જેવા લોકોને પુરસ્કાર આપવામાં આવ્યો છે.