પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બજેટ 2023 અંગે કહ્યું કે ' આ બજેટ સૌનાં સપનાં પૂરા કરશે...'
બજેટ 2023 અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું નિવેદન
મહિલાઓનાં જીવનસ્તરમાં બદલાવ આવશે- PM
બજેટમાં વંચિતોને પ્રાથમિકતા- PM
નાણામંત્રી નિર્મલા સીતારમણે દેશનું 75મું બજેટ રજૂ કર્યાં બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું પણ બજેટ અંગેનું નિવેદન જાહેર થયું છે. તેમણે કહ્યું કે આ બજેટ તમામનાં સપનાં પૂરાં કરશે..
કેન્દ્રીય બજેટ પર PM મોદીનું નિવેદન
કરોડો વિશ્વકર્મા આ દેશના નિર્માતા છે. સરકારે જનહીતમાં અનેક પગલા ઉઠાવ્યાં છે અને આ બજેટ વિકસીત ભારતનો વિરાટ સંકલ્પ પૂર્ણ કરશે. એટલું જ નહીં ખેડૂતો અને પશુપાલકોને પણ પ્રધાનમંત્રીએ યાદ કરતાં કહ્યું કે દુનિયાની સૌથી મોટી અન્ન ભંડાર યોજના બનાવી છે જેનાથી દેશનાં નાનકડાં ખેડૂતો, પશુપાલકોને ફાયદો થશે. ગ્રામીણ અર્થ વ્યવસ્થાને સુદ્રઢ કરવાની પહેલ થઈ છે. તેમણે કહ્યું કે મોટા અનાજનો ખેડૂતોને લાભ મળવો જોઈએ. ભારતના મધ્યમવર્ગને તો લાભ થશે જ પરંતુ ટેક્સ પ્રક્રિયાને સરળ બનાવી દેશના દરેક ક્ષેત્રનો વિકાસ થશે. બજેટમાં લઘુ ઉદ્યોગોને પણ ધ્યાનમાં રાખવામાં આવ્યા છે.નવા રોકાણથી નવી નોકરીઓનુ સર્જન થશે.
अमृत काल का पहला बजट विकसित भारत के विराट संकल्प को पूरा करने के लिए एक मजबूत नींव का निर्माण करेगा। ये बजट वंचितों को वरीयता देता है। ये बजट आज की आकांक्षी समाज, गांव, गरीब, किसान, मध्यम वर्ग सभी के सपनों को पूरा करेगा: प्रधानमंत्री नरेंद्र मोदी pic.twitter.com/2XVGLPFZtb
વંચિતોને પ્રાથમિકતા
અમૃતકાળનું પ્રથમ બજેટ વિકસિત ભારતનાં વિરાટ સંકલ્પને પૂરું કરવા માટે એક મજબૂત પાયાનું નિર્માણ કરશે. આ બજેટમાં વંચિતોને પ્રાથમિકતા આપવામાં આવી છે. આ બજેટ આજનાં આકાંક્ષી સમાજ, ગામ, ગરીબ, ખેડૂત, મધ્યમ વર્ગ- સૌનાં સપનાં પૂરાં કરશે.
गांव से लेकर शहर तक में रहने वाली हमारी महिलाओं के जीवन स्तर में बदलाव लाने के लिए कई बड़े कदम उठाए गए हैं, उन्हें अब और ताकत के साथ आगे बढ़ाया जाएगा: प्रधानमंत्री नरेंद्र मोदी pic.twitter.com/otJNCJ7pp4
મહિલાઓનાં વિકાસ પર બોલ્યાં નરેન્દ્ર મોદી
PM મોદીએ કહ્યું કે, ગામડાંથી લઈને શહેર સુધીમાં રહેવારી આપણી મહિલાઓનાં જીવનસ્તરમાં બદલાવ લાવવાનાં અનેક મોટાં પગલાંઓ ભરવામાં આવ્યાં છે અને તેમને હવે વધુ તાકાતની સાથે આગળ વધારવામાં આવશે.
आज जब मिलेट्स पूरे विश्व में लोकप्रिय हो रहा है तो उसका सर्वाधिक लाभ भारत के छोटे किसानों के नसीब में है। अब इस सुपर फूड को श्री अन्न के नाम से एक नई पहचान दी गई है। श्री अन्न से हमारे छोटे किसानों और किसानी करने वाले आदिवासी भाई-बहनों को आर्थिक सबल मिलेगा: पीएम नरेंद्र मोदी pic.twitter.com/hRySno2eVO
ખેડૂતભાઈઓ પર બોલ્યાં મોદી
આજે જ્યારે બાજરી સમગ્ર વિશ્વમાં લોકપ્રિય થઈ રહ્યું છે ત્યારે તેનો સૌથી વધુ લાભ ભારતનાં નાનકડાં ખેડૂતોનાં નસીબમાં છે. હવે આ સુપર ફૂડને શ્રી અન્નનાં નામથી અલગ ઓળખ આપવામાં આવશે. શ્રીઅન્નથી આપણાં નાનકડાં ખેડૂતો અને ખેતી કરનારાં આદિવાસી ભાઈ-બહેનોને આર્થિક બળ મળશે.