ટીએમસીના દિગ્ગજ નેતા અને મંત્રી ફરહાદ હકીમે જણાવ્યું કે જીત બાદ મમતા બેનરજીની નવી સરકારની પ્રાથમિકતા રાજ્યની સ્વાસ્થ્ય વ્યવસ્થાને પાટા પર લાવવાની રહેશે.
ટીએમસીના દિગ્ગજ નેતા ફરહાદ હકીમે જણાવ્યું
મમતાની પહેલી પ્રાથમિકતા સ્વાસ્થ્ય વ્યવસ્થાને પાટા પર લાવવાની હશે
વિજયી સરઘસ કે રેલી બંધ રાખીશું-મંત્રી
વિજયની ઉજવણી અને રેલીઓને બંધ રાખીશું-મંત્રી
બંગાળના મંત્રી ફરહાદ હકીમે જણાવ્યું કે સત્તામાં આવ્યાં બાદ કોરોના મહામારી સંકટને જોતા ટીએમસીના ખભા પર જવાબદારીનો ભાર વધી જશે અને તે માટે વિજયની ઉજવણી અને રેલીઓને બંધ રાખવામાં આવશે. તેમણે કહ્યું કે અમે બે તૃતિયાંશ બહુમતી સાથે ચૂંટણી જીતી રહ્યાં છીએ અને બંગાળમાં અમારી જ સરકાર છે. મમતા બેનરજી ત્રીજી વાર અમારા મુખ્યમંત્રી બનશે. આ જીત આમ આદમીની છે. અમારી સફળતા અમારા ખભા પર મોટી જવાબદારી બનીને આવશે.
મંત્રી નથી છતાંય હોસ્પિટલ પર સીધી દેખરેખ રાખી રહ્યો છું-ફરહાદ હકીમ
હકીમે જણાવ્યું કે તેઓ એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલની મુલાકાત લઈ રહ્યાં છે અને ત્યાંની સુવિધાઓની સમિક્ષા કરી રહી છે અને જરુરીયાતમંદોને સહાય પહોંચાડવામાં આવી રહી છે. અમારી મુખ્ય પ્રાથમિકતા સ્વાસ્થ્ય વ્યવસ્થાને પાટા પર લાવવાની છે. મારુ માનવું છે કે આ ઘણુ પડકારજનક હશે. હાલમાં તો હું મંત્રી નથી તેમ છતાં પણ હું મારી જવાબદારીથી પાછળ હઠવાનો નથી.