પૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ રાજ્યસભા જશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રંજન ગોગોઇનું નામ રાજ્યસભા માટે નામાંકિત કર્યું છે. રાજ્યસભા માટે રાષ્ટ્રપતિ તરફથી 12 સભ્યોને નામાંકિત કરવામાં આવ્યા છે. આ સભ્યો અલગ-અલગ ક્ષેત્રોની જાણિતી હસ્તીઓ હોય છે.
રાજ્યસભા માટે રાષ્ટ્રપતિ તરફથી 12 સભ્યોને નામાંકિત કરવામાં આવ્યા છે
તેઓ પૂર્વોત્તરથી સર્વોચ્ચ ન્યાયિક પદ પર પહોંચનાર પહેલા વ્યક્તિ છે
રંજન ગોગોઇ ગત 17 નવેમ્બર 2019ના રોજ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ પદેથી રિટાયર થયા હતા
રંજન ગોગોઇ ગત 17 નવેમ્બર 2019ના રોજ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ પદેથી રિટાયર થયા હતા. તેઓ પૂર્વોત્તરથી સર્વોચ્ચ ન્યાયિક પદ પર પહોંચનાર પહેલા વ્યક્તિ છે. રિટાયર થતા પહેલા તેમની જ અધ્યક્ષતામાં બનેલી બેન્ચે અયોધ્યાના વિવાદીત સ્થળ પર ઐતિહાસીક નિર્ણય સંભળાવ્યો હતો.
ગોગોઇના ઘણા નિર્ણયો પર ઉઠ્યા છે પ્રશ્ન
જસ્ટિસ અને ચીફ જસ્ટિસ તરીકે ન્યાયમૂર્તિ ગોગોઇનો કાર્યકાળ કેટલાક વિવાદો અને વ્યક્તિગત આરોપોથી દૂર નથી રહ્યો. જોકે આ ક્યારેય તેમના ન્યાયિક કાર્યની વચ્ચે નથી આવ્યો અને તેની ઝલક ગત કેટલાક દિવસોમાં જોવા મળી. જ્યારે તેમની અધ્યક્ષતા વાળી પીઠે કેટલાક ઐતિહાસિક નિર્ણય આપ્યા. અયોધ્યા ઉપરાંત જે મહત્વપૂર્ણ મુદ્દાઓ પર તેઓએ નિર્ણય લીધા છે, તેમા આસામ એનઆરસી, રાફેલ, આરટીઆઇ અંતર્ગત સીજેઆઇ ઓફિસનો સમાવેશ વગેરે સામેલ છે.
રંજન ગોગોઇ પોતાના સાડા 13 મહીનાના કાર્યકાળ દરમિયાન ઘણા વિવાદોમાં પણ રહ્યા અને તેમના પર યૌન ઉત્પીડન જેવી ગંભીર આરોપ લાગ્યા. તેમની અધ્યક્ષતા વાળી પાંચ સદસ્યોની પીઠે 9 નવેમ્બરે અયોધ્યા ભૂમિ વિવાદમાં નિર્ણય સંભળાવીને પોતાનું નામ ઇતિહાસમાં નોંધાવી દીધું.
જોકે, તેમને એ માટે પણ યાદ રાખવામાં આવશે કે તેઓ જસ્ટિસના એ સમૂહના સૌથી વરિષ્ઠ જજ હતા જેમણે ગત વર્ષે જાન્યુઆરીમાં તત્કાલિન સીજેઆઇ દીપક મિશ્રાના કામની રીત પર સવાલ ઉઠાવ્યા હતા અને તેમની વિરુદ્ધ પ્રેસ કોન્ફરન્સ કરી હતી.