દેશના આર્મી ચીફ મનોજ મુકુંદ નરવણેએ નવા પડકારોનો સામનો કરવા પણ તૈયાર રહેવા અંગે જણાવ્યું છે.
ભારતની સરહદની સ્થિતિને ધ્યાનમાં લઇને આર્મી ચીફ મનોજ મુકુંદ નરવણેએ નવા પડકારોને લઇને તૈયાર રહેવા જણાવ્યું છે. આ સાથે મુકુંદ નરવણેએ કહ્યું કે આ ખતરાઓને પહોંચવા ભારતે આક્રમક વલણ અને વધારે મજબૂત થવાની જરૂર છે.
ઉલ્લેખનીય છે કે આર્મી ચીફ મુકુંદ નરવણેની આ ટીપ્પણી રક્ષા મંત્રી રાજનાથસિંહ દ્વારા આપવામાં આવેલા સંસદના નિવેદન પછી આવી. રક્ષામંત્રી રાજનાથસિંહે સંસદમાં નિવેદન આપ્યું હતું કે લદ્દાખમાં ભારત-ચીનની સેનાઓ હટવાને લઇને સહમતિ બની ગઇ છે.
We have maintained a high state of alertness all along the northern borders. We are hoping for a peaceful solution but are ready to meet any eventuality. All logistics are taken care of: Army Chief General Manoj Mukund Naravane https://t.co/d9wZk6S2sp
એક કાર્યક્રમમાં પોતાના સંબંધોનમાં આર્મી ચીફ મુકુંદ નરવણેએ કહ્યું આપણા દેશની ઉત્તરી સીમા પર જે પરિસ્થિતિનું નિર્માણ થયા બાદ આપણને ગંભીરતાથી વિચારવા માટે મજબૂર કરી દીધા છે. આપણી સીમાઓનું સાચુ નિર્ધારણ ન હોવાના કારણે આપણી અંખડતા અને સંપ્રભુતા સંરક્ષણમાં પડકારો છે.
નવા પ્રકારના પડકારોનો ઉલ્લેખ
જનરલ નરવણેએ 21મી સદીના પડકારોની બદલતી પેટર્ન પર પણ ચર્ચા કરી. નરવણેએ કહ્યું કે ટેન્ક અને ફાઇટર જેટ જેવા યુદ્ધક પ્લેટફોર્મ ક્યારે 20મી સદીમાં યુદ્ધના મુખ્ય આધાર હતા પરંતુ હવે નવા પ્રકારના પડકારો સામે આવી રહ્યાં છે. જેને લઇને આર્મી ચીફે આર્મેનિયા-અઝરબેઝાન વચ્ચેના યુદ્ધનો ઉલ્લેખ કર્યો.
રક્ષામંત્રીએ આપ્યું હતું નિવેદન
ગુરુવારના રોજ રક્ષામંત્રી રાજનાથસિંહે જણાવ્યું હતું કે વિવાદના અંદાજે 10 મહીના પછી સાઉથ અને નોર્થ બેંકથી સૈનકોને પરત લેવા માટે ચીન સાથે સમજૂતિ બની ગઇ છે. પેંગોગ લેક વિસ્તારમાં સૈથી પહેલા સેનાએ પાછળ હટશે. ભારત અને ચીન વચ્ચે થયેલ સમજૂતિ મુજબ ચીનની સેના પોતાના સૈનિકોને ફિંગ 8થી પાછળ લઇ જશે.