નિર્ભયા કાંડના ચારેય દોષીઓને સજા આપવા માટે હાલમાં તિહાર જેલ પ્રશાસનની પાસે કોઈ લેટર આવ્યો નથી. તેની પહેલાં જેલ પ્રશાસને સજા આપવાની સ્થિતિની તપાસ માટે પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આરોપીઓના ફાંસીના ઓર્ડર આવે તે પહેલાં જેલ પ્રશાસને આ રીતે તૈયારી રૂપે ચેકિંગ પણ કર્યું હતું.
નિર્ભયા દુષ્કર્મના આરોપીઓને માટે ફાંસીની તૈયારીઓ
ફાંસી આપતા પહેલાં ડમીને આપવામાં આવી ફાંસી
100 કિલોની રેતીની થેલીને ડમી તરીકે 1 કલાક લટકાવાઈ
આ રીતે કરાઈ ડમી ફાંસીની વ્યવસ્થા
તિહાર જેલમાં બંધ નિર્ભયા દુષ્કર્મના ચારેય આરોપીઓને ફાંસી પર લટકાવવાના કેસમાં હાલમાં તિહાર જેલ પ્રશાસનની પાસે કોઈ ફાઈનલ લેટર આવ્યો નથી. આ પહેલાં જ જેલ પ્રશાસને પોતાની તૈયારીઓની તપાસ શરૂ કરી છે. જો આ તમામને ફાંસી આપવામાં આવે તો તેમાંથી સૌથી વધારે વજનના આધારે એક ડમીને ફાંસી આપીને જોવામાં આવ્યું. ડમીમાં 100 કિલો રેતીનો થેલો ભરવામાં આવ્યો હતો. ડમીને એક કલાક સુધી ફાંસીના માંચડા પર લટકાવી રાખવામાં આવ્યો હતો.
ડમી ફાંસી પાછળ હતો આ હેતુ
આ પાછળનો હેતુ એ હતો કે જો ગુનેગારોને ફાંસી આપવામાં આવી હોય તો શું તે ખાસ દોરડું તેમના વજનથી તૂટશે તો નહીંને. 9 ફેબ્રુઆરી, 2013 ના રોજ જ્યારે સંસદના હુમલાના દોષી આતંકવાદી અફઝલને ફાંસી આપવામાં આવી હતી. તે પહેલાં પણ તેના વજનના ડમીને ફાંસી આપીને અજમાવવામાં આવી હતી. તે અજમાયશમાં દોરડું તૂટી ગયું હતું. આ વખતે કેસ ચાર કેદીઓનો છે. આ કારણોસર, જેલ વહીવટીતંત્ર ફાંસી આપતી વખતે કોઈ ચૂક થાય તેવું ઇચ્છતો નથી.
બક્સરથી મંગાવવામાં આવ્યું છે દોરડું
તિહાર જેલના એક અધિકારીએ જણાવ્યું છે કે એવું નથી કે ફાંસી આપવા માટેની તમામ દોરીઓ બક્સરથી જ મંગાવવામાં આવે. અમારી પાસે હાલમાં પણ 5 દોરીઓ છે. પરંતુ અમે બક્સર પ્રશાસન સાથે વાત કરી છે અને ફાંસી આપવાની સ્પેશ્યિલ 11 દોરીઓ મંગાવવાની વાત ચાલી રહી છે. તેને જલ્દી જ મંગાવવામાં આવશે. જો આ ચારેયને ફાંસી આપવામાં આવે તો તિહાર જેલની 5 દોરીઓ ઓછી પડી જશે. તેમાંથી 1/2ને ટ્રાયલ માટે પણ યૂઝ કરવામાં આવશે.
યૂપીથી આવી શકે છે જલ્લાદ
અધિકારીઓનું કહેવું છે કે ફાંસી આપવામાં માટે જલ્લાદની જરૂર હોતી નથી પરંતુ તેમ છતાં યૂપી, મહારાષ્ટ્ર, બંગાળથી જલ્લાદ બોલાવવામાં આવી શકે છે. તેના માટેની કવાયત શરૂ કરવામાં આવી છે. નિર્ભયાના 4 દોષીઓમાંથી એક પવનને મંડોલીની જેલનંબર 14થી તિહારની જેલ નંબર 2માં શિફ્ટ કરવામાં આવ્યો છે. આ જેલમાં નિર્ભયાના ચાર દોષીઓમાંથી બે અક્ષય અને મુકેશ પણ બંધ છે. જ્યારે વિનય શર્મા જેલ નંબર 4માં બંધ છે.
જેલ નંબર 3માં છે ફાંસીનો તખ્તો
અધિકારીઓનું કહેવું છે કે હાલના દિવસોમાં તિહાર જેલમાં નિર્ભયાના દોષીઓને ફાંસી પર લટકાવવાની વાત થઈ રહી છે. તેનાથી આરોપીઓ ડરી રહ્યા છે. જ્યારે પવનને મંડોલીથી તિહાર જેલમાં શિફ્ટ કરવામાં આવ્યો છે. એક વાર તેને લાગ્યું કે તેની આખરી રાત છે. જેલ શાસનનું કહેવુ છે કે રોહિણી, મંડોલી અને તિહારમાં તિહારની જેલ નંબર 3માં જ ફાંસીનો તખ્તો છે. અહીં ઉગેલા ઘાંસને સાફ કરી દેવામાં આવ્યું છે.