આપણે અહીંયા બાળકના જન્મની પહેલા પણ અનેક પરંપરા પ્રચલિત છે જેનું પાલન દરેક ગર્ભવતી મહિલાએ કરવાનું હોય છે. ઉદાહરણ ગર્ભવતી મહિલાએ હોડીથી નદી પાર ના કરવાની સલાહ આપવામાં આવે છે.
એ જ પ્રકારે ગર્ભવતી મહિલાને મૃતવ્યક્તિની પાસે ના જવું અથવા એને નહીં જોવાની સલાહ આપવામાં આવે છે. કેટલાક લોકો આ પરંપરાનું પાલન કરતાં નથી કારણ કે એને માત્ર અંધવિશ્વાસ માનવામાં આવે છે. જો કે એની પાછળ ઘણા વૈજ્ઞાનિક કારણ છે.
એનું મુખ્ય કારણ એ છે કે ઘરમાં કોઇનું મૃત્યુ થાય છે ત્યાં દુખનું વાતાવરણ હોય છે. એવામાં જ્યારે ગર્ભવતી મહિલા એ જગ્યા પર જાય છે તો એની પર પણ આ માહોલની અસર પડે છે. મહિલાના દુખી થવા પર એના શરીરમાંથી નિકળનાર હાર્મોન્સ પ્રભાવિત થાય છે જેનાથી ગર્ભમાં ઉછરી રહેલું બાળક પણ એ દુખનો અનુભવ કરે છે.
બાળકના જન્મ પર આ પ્રકરાની ઘટનાનું ખૂબ પ્રતિકૂળ અસર પડે છે. આ ઉપરાંત એનું વૈજ્ઞાનિક કારણ એ છે કે મૃત વ્યક્તિના શરીરમાં ઘણા પ્રકારના બેક્ટેરિયા હોય છે જે સંક્રમણ ફેલાવે છે.
ગર્ભવતી મહિલા શારીરિક રૂપથી વધારે મજબૂત હોતી નથી એટલા માટે મૃત શરીરમાંથી નિકળનાર બેક્ટેરિયા એને અને એના ગર્ભસ્ત શિશુને પ્રભાવિત કરી શકે છે. એટલા માટે ગર્ભવતિ મહિલાએ મૃત વ્યક્તિનું મોઢું જોવું જોઇએ નહીં