ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં સોરાંવ પોલીસ વિસ્તારના યુસુફપુર સેવાઈત વિસ્તારમાં રવિવારે એક જ પરિવારના પાંચ લોકોની હત્યાથી ચકચાર મચી છે. ઉલ્લેખનીય છે કે સોમ દત્ત તિવારી, તેમની પત્ની અને 3 બાળકોની ધારદાર હથિયારથી હત્યા કરી છે.
યુપીના પ્રયાગરાજમાં 5 લોકોની હત્યા
ધારદાર હથિયારથી એક જ પરિવારના 5 લોકોની હત્યા
મોત માટે અંગત અદાવતની આશંકા
મુરાદાબાદમાં ટ્રાન્સજેન્ડરની હત્યા
યુપીમાં અપરાધના એક પછી એક કિસ્સા સામે આવી રહ્યા છે. મુરાદાબાદની સિવિલ લાઈન્સ પોલિસ સ્ટેશનનાસ મિલક વિસ્તારમાં રવિવારને સપના નામની એક ટ્રાન્સજેન્ડર પોતાના ઘરે મોત થયું હતું. પોલીસને સંદેહ છે કે તેમની હત્યા બે દિવસ પહેલાં થઈ છે. લાશને પોલીસ મોર્ટમ માટે મોકલવામાં આવી છે.
પોલીસ કરી રહી છે તપાસ
પોલીસ અધિક્ષક અમિત કુમાર આનંદે સ્થળની તપાસ કરી. ફોરેન્સિક ટીમે પણ સ્થળ પર પહોંચીને સબૂત મેળવ્યા છે. એસપીએ કહ્યું કે અમે તેમના સાથી યામીનની ધરપકડ કરી છે અને તેની પૂછપરછ ચાલુ છે. સપનાની સાથે છેલ્લી વખત તેને જોવામાં આવ્યો હતો. યામીન અને સપના છેલ્લા કેટલાક સમયથી સાથે રહેતા હતા. યામીનનો 2 દિવસ પહેલાં સપના સાથે ઝઘડો થયો અને પછી તે ઘર છોડીને ચાલ્યો ગયો હતો.
પોલીસ તપાસમાં સામે આવી આ વાત
પોલીસ અધિકારીએ કહ્યું કે ગુરુવારે રાતે બંનેએ દારૂ પીધો હતો અને સાથે શનિવારે સવારે સપના મૃત મળી હતી ત્યારે તેના ઘરે તેના દોસ્ત આવ્યા તો તેઓને દરવાજો અંદરથી બંધ મળ્યો હતો. ઈન્સ્પેક્ટર નવલ મારવાહે કહ્યું કે દોસ્તોએ અગાશીમાંથી ઘરમાં પ્રવેશકર્યો હતો અને સપનાને લોહી લૂહાણ જોઈ હતી. અજ્ઞાત આરોપીની વિરુદ્ધમાં આઈપીસીની કલમ 302ના આધારે એફઆઈઆર નોંધવામાં આવી છે.