ગાંધી જયંતિની 150મી વર્ષગાંઠ નિમિત્તે ઇન્કમટેક્સ ખાતે પુષ્પાજંલિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાજ્યના ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજા અને સાંસદ કિરીટ સોંલકી ઉપસ્થિત રહ્યા હતા. મેયર બીજલ પટેલ અન્ય અધિકારી પણ ઉપસ્થિત રહ્યા
ઇન્કટેક્સ ખાતે યોજાયો શ્રમદાન કાર્યક્રમ
સાંસદ કિરીટ સોલંકીએ પણ આપી હાજરી
આજે ગુજરાતને મળશે સ્વચ્છ રાજ્યનું સન્માન
ગાંધીજીની 150મી જન્મજયંતી નિમિત્તે ઈન્કમટેક્સ ખાતે શ્રમદાન કાર્યક્રમ યોજાયો હતો. રાજ્યના ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજા અને સાંસદ કિરીટ સોંલકી સફાઇ અભિયાનમાં જોડાયા
ગાંધી જયંતી નિમિત્તે શ્રમદાન-સ્વચ્છતાનો કાર્યક્રમ
ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ અમદાવાદમાં શ્રમદાન કર્યું હતુ. આશ્રમ રોડ સ્વચ્છ કરીને ગૃહમંત્રીએ કર્યું શ્રમદાનનો દાખલો બેસાડ્યો હતો. આ કામમાં તેમનો સાથ સાંસદ કિરીટ સોલંકીએ આપ્યો હતો.
શ્રમદાનમાં અમદાવાદના મેયર બિજલ પટેલ પણ જોડાયા
અમદાવાદ શહેરના મેટર બિજલ પટેલ પણ ઈન્કમટેક્સ ખાતે યોજાએલ સ્વચ્છતા કાર્યક્રમમાં જોડાયા હતા. તેઓએ પણ ઈન્કમટેક્સ ખાતે કચરો વાળીને સાફસફાઈ કરી હતી.
સ્વચ્છતા ત્યાં પ્રભુતા
ગુજરાતને આજે સ્વચ્છ રાજ્યનો એવોર્ડ મળવાનો છે. સ્વચ્છતા અભિયાનમાં ગુજરાતની આ મોટી સિદ્વી છે. આડે PM મોદી ગુજરાતને સ્વચ્છ રાજ્યનો એવોર્ડ આપશે જે CM રૂપાણી સ્વીકારશે. ત્યારે આ અવસરને પગલે ગુજરાતમાં સ્વચ્છતાનો શ્રમદાન યજ્ઞ કરાઈ રહ્યો છે.