દાડમને એક સુપરફૂડ માનવામાં આવે છે કારણે કે તે ખાસ પોષક તત્વોની મદદથી સીઝનલ બીમારીમાં રાહત આપે છે.
સીઝનલ બીમારીમાં કરો આ ઉપાય
દાડમનો આ ઉપાય આપશે રાહત
જાણો કઈ સમસ્યામાં કરે છે મોટી મદદ
દાડમને એક સુપર ફૂડ માનવામાં આવે છે. તેમાં ખાસ કરીને પોષક તત્વો હોય છે તે ઈમ્યુનિટીને બૂસ્ટ કરીને બદલાતી સીઝનમાં તમને સ્વસ્થ રાખે છે. વિટામીન સીનો મોટો સોર્સ હોવાથી તમને અનેક રીતે રક્ષણ આપે છે. ખાસ રીતે આ સીઝનમાં તમે રોજના ડાયટમાં દાડમને સામેલ કરો તે જરૂરી છે. તેના રસીલા દાણાનો જ્યૂસ કે પછી ફ્રૂટ ચાટમાં પણ તમે તેને યૂઝ કરી શકો છો.સંશોધન કહે છે કે બદલાતી સીઝનના કારણે થતી સમસ્યાઓમાં દાડમ રાહત આપે છે.
આ કારણોને લઈને ડાયટમાં દાડમને સામેલ કરાય તે જરૂરી છે.
વાયરસ અને મોસમી ફ્લૂને રાખે છે દૂર
દાડમનો રસ, બીજ અને તેની છાલ પણ તમારા શરીરને રોગથી બચાવે છે. દાડમનો રસ ખાસ કરીને સંક્રમિત ખાદ્ય પદાર્થો કે વાયરસના આકર્ષણની વિરુદ્ધમાં તમારી રક્ષા કરે છે. આ સાથે તે ઓરલ કેવિટીથી પણ તમને બચાવે છે. સામાન્ય ફ્લૂની સામે રક્ષણ મેળવવામાં પણ મદદ કરે છે.
હાઈ બીપીને ઘટાડે છે
દાડમના એન્ટી ઓક્સીડન્ટ ગુણના કારણે હાઈ બીપીને સરળતાથી ઘટાડી શકાય છે. આ સમસ્યાથી પીડિત લોકોને દાડમથી સારું પરિણામ મળે છે. દાડમનો રસ 100 ટકા પ્રાકૃતિક છે તેમાં કોઈ શુગર હોતી નથી. દાડમમાં રહેલું પોટેશિયમ બ્લડપ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. 100 ગ્રામ દાડમમાં 236 ગ્રામ પોટેશિયમ હોય છે જે હાડકા અને દિલને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
પાચનક્રિયાને સુધારે છે
જે લોકો ક્રોહનની બીમારીથી પીડાય છે તેમને પેટની સમસ્યાઓ રહે છે. સાથે ભૂખ અને વજન બંને ઘટવા લાગે છે. તેનું કારણ પેટમાં બેક્ટેરિયાનું જમા થવું છે જે ગંભીર સોજાનું કારણ બને છે. આ ઉપાય અનેક સંશોધનમાં સાબિત થયો છે કે દાડમનો અર્ક તે બેક્ટેરિયા સામે લડવામાં મદદ કરે છે.
યાદશક્તિને કરે છે મજબૂત
જે લોકોને માટે હર્દયની સર્જરી અનિવાર્ય હોય છે તેમને દાડમની ગોળીઓ આપવામાં આવે છે. પહેલી ગોળીથી સર્જરી 6 અઠવાડિયા ઠેલાય છે. તેની યાદશક્તિ પણ સારી થાય છે અને સાથે રોગીને દાડમની ગોળી ન આપવામાં આવી તેમને સર્જરી બાદ થોડી મુશ્કેલી થઈ શકે છે.
ડાયાબિટિસને કરે છે સંતુલિત
ડાયાબિટિસ સાથેના સંશઓધન કહે છે કે હાઈ બ્લડ શુગરને દિવસમાં ફક્ત 1 દાડમ ખાવાથી નિયંત્રિત કરી શકાય છે. આ ફળ ઓક્સીડેટિવ સ્ટ્રેસને ઘટાડે છે. જે ડાયાબિટિસનું મુખ્ય કારણ છે. આ સિવાય તે ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડે છે. મધુમેહના રોગીને દાડમનું સેવન રોજ કરવું.