સમગ્ર દેશમાં સતત કોંગ્રેસ પાર્ટી નાગરિકતા કાયદાનો વિરોધ કરી રહી છે. મહારાષ્ટ્રમાં પણ પાર્ટીના નેતા નાગરિકતા કાયદાને લાગૂ ન થવા દેવાની વાત કરી રહ્યા છે. આ વચ્ચે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનું પણ નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું છે કે નાગરિકતા સંશોધન બિલ સાવરકરના વિચારો વિરૂદ્ધ છે.
કોંગ્રેસના દબાણ બાદ તેમણે રાજ્યસભાથી શિવસેનાએ કર્યું હતું વોકઆઉટ
શિવસેના અધ્યક્ષ અને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રવિવારે એક કાર્યક્રમમાં કહ્યું કે નાગરિકતા સંશોધન કાયદો સાવરકરના વિચારો વિરૂદ્ધ છે. તેમણે સવાલ કર્યા કે, શું નાગરિકતા સંશોધન બિલ કોઇ વિચારધારા પર આધારિત છે? તેને લઇને ઉદભવેલી હિંસા વિશે શું કહેશો ? આ સિવાય ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, પહેલા અમે દેખાડીશું કે આ મામલે શું નક્કી કર છે, પછી અમે અમારૂ વલણ નક્કી કરીશું.
શિવસેનાએ લોકસભામાં આ બિલનું સમર્થન કર્યું હતું, પરંતુ કોંગ્રેસના દબાણ બાદ તેમણે રાજ્યસભાથી વોકઆઉટ કરી લીધું હતું. ત્યાર બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દિલ્હીમાં એક કાર્યક્રમમાં કહ્યું કે, મારૂ નામ રાહુલ સાવરકર નથી, રાહુલ ગાંધી છે. માફી નહીં માંગુ.
મહત્વનું છે કે ભાજપના નેતા આશીષ શેલારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પાસે મહારાષ્ટ્રમાં નાગરિકતા સંધોધન કાયદો તાત્કાલીક લાગૂ કરવાની માંગ કરી છે.