અમદાવાદમાં પત્રકાર ચિરાગ પટેલ હત્યાના મામલે દ્વારા પોલીસની દિશા વિહીન તપાસ ચાલી રહી છે. પોલીસ ચિરાગના મોબાઈલની શોધખોળ માટે ઘટના સ્થળે પહોંચી છે. મોબાઇલનુ છેલ્લું લોકેશન ઘટના સ્થળ હોવાથી પોલીસે સર્ચ ઓપરેશન આદર્યુ છે. ખેતરોની સિમમાં પોલીસની શોધખોળ કરી રહી છે. તેમજ ક્રાઇમ બ્રાન્ચ પણ ઘટના સ્થળે તપાસ કરી ચુકી છે. હત્યા અને આત્મહત્યાને લઈને હજુ સુધી નથી કોઈ પુરાવા મળ્યા નથી. પોલીસે FSLના રિપોર્ટની તપાસ શરૂ કરી છે.
મહત્વનું છે કે, નિકોલમાં રહેતા અને ગુજરાતી ન્યૂઝ ચેનલના કોપી એડિટર ચિરાગ પટેલનો મૃતદેહ કઠવાડા ટેબલી હનુમાન મંદિર નજીક કેનાલ પાસેથી ખુલ્લી જગ્યામાંથી સળગેલી હાલતમાં મળી આવ્યો હતો. કોઈએ હત્યા કરી પુરાવાના નાશ કરવા માટે મૃતદેહ સળગાવી દીધો કે, કોઈક કારણોસર આપઘાત કર્યો છે તે અંગે હજી સુધી પોલીસ તપાસમાં કોઇ જ ખુલાસો થયો નથી. જો કે પોલીસનાં જણાવ્યાં પ્રમાણે તેનું સ્પ્લેન્ડર બાઇક, પર્સ અને આઇકાર્ડ 20 ફુટ દુર મળી આવ્યા હતા, પરંતુ તેનો મોબાઇલ મળ્યો નથી. છેલ્લે તેણે શુક્રવારે સાંજે તેના ભાઇને કોલ કર્યો હતો.
આ ઉપરાંત તેણે રૂપિયા 10 હજાર આસપાસનું આરટીજીએસ કોઇને કરાવ્યું હતુ. જ્યારે પીએમના પ્રાથમિક રિપોર્ટમાં સળગી જવાથી મોત થયાનું ખુલ્યું હતું. તો જોવાનું એ રહે છે કે, પોલીસ આ અંગે ગંભીરતાથી ક્યારે તપાસ કરશે અને ક્યારે તેના હત્યારાઓ સુધી પહોંચશે?