જમ્મુ-કાશ્મીર પોલીસને સોમવારે મોટી સફળતા પ્રાપ્ત થઇ છે. પોલીસે સોપોરમાં અલગ-અલગ સંગઠનો માટે કામ કરતા 8 ગ્રાઉન્ડ વર્કર્સની ધરપકડ કરી હતી.
ધરપકડ કરાયેલા આતંકી સંગઠનો માટે સ્થાનિક લેવલ પર કામ કરતા હતા તેમના માટે સુચનાઓ મોકલતા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર ધરપકડ કરવામાં આવેલ સભ્યો કાશ્મીરના લોકોને ધમકાવવાનું તથા દેશ વિરોધી પ્રવૃત્તિ કરતા હતા.
થોડા દિવસ 2 આતંકીની કરાઇ ધરપકડ
પોલીસના સૂત્રોના જણાવ્યા મુજબ, ધરપકડ કરવામાં આવેલ આતંકીઓએ જ અલગ-અલગ વિસ્તારોમાં ધમકી ભરેલ પોસ્ટર્સ લગાડ્યા હતા. નોંધનીય છે કે, થોડા સમય પહેલા જ સેનાએ કાશ્મીરમાં 2 પાકિસ્તાની આતંકીઓની ધરપકડ કરી હતી. એક અઠવાડિયાની અંદર જ પોલીસે 8 આતંકવાદીઓની ધરપકડ કરેલ.
પોસ્ટર્સ લગાવી આપી ધમકી
આપને જણાવી દઈએ કે આતંકવાદી સંગઠન ઘાટીમાં પોસ્ટર લગાવીને લોકોને ધમકાવતા રહે છે. જમ્મુ કશ્મીરમાંથી કલમ 370 ના થોડા દિવસ બાદ આતંકવાદીઓએ પોસ્ટર લગાવીને દુકાનો બંધ રાખવા કહ્યુ હતું.
દક્ષિણ ભારતમાં આતંકી હુમલાની આશંકા
સેનાની દક્ષિણની કમાન સંભાળતા જીઓસી લેફ્ટિનેન્ટ જનરલ એસ.કે. સૈનીએ પૂણેમાં મીડિયા સાથે વાતચીતમાં આ માહિતી આપી હતી. સેના તરફથી દક્ષિણ ભારતમાં તમામ રાજ્યોને અલર્ટ મોકલ્યા બાદ જીઓસી એસ.કે સૈનીએ જણાવ્યું કે ગુજરાતથી જોડાયેલ સર ક્રિક લાઇન પાસે સેનાના કેટલીક બિનવારસી બોટને જપ્ત કરી છે. સેના કોઇ નાપાક ષડયંત્રની આશંકામાં સમગ્ર રીતે સતર્ક છે.
ગુજરાત સરકારનું અલર્ટ
આતંકવાદી ષડયંત્રનું અલર્ટ જાહેર થયા બાદ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું, કચ્છ અમારો એક સરહદી જિલ્લો છે અને એજન્સીઓના ઇનપુટ મળ્યા બાદ રાજ્ય સરકારે આને ગંભીર મામલો ગણાવતા રાજ્યમાં હાઇ અલર્ટ જાહેર કર્યું છે. અમે આ દિશામાં સુરક્ષાત્મક રીતે મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે અને તમામને સતર્ક રહેવા માટે કહેવામાં આવ્યું છે.