બાવળામાં યુવતીની હત્યાનો મામલે પોલીસે 3 આરોપીની ધરપકડ કરી છે. જેમાં મુખ્ય સૂત્રધાર કેતન વાઘેલા અને તેના 2 મિત્રોની પોલીસે સુરેન્દ્રનગરથી ધરપકડ કરી છે. કેતન વાઘેલા સાથે યુવતીને છેલ્લા બે વર્ષથી પ્રેમ સંબધ હતો. જોકે યુવતીએ કેતન સાથે લગ્ન કરવાની ના પાડતાં કેતને ઉશ્કેરાઇને ભરબજારે છરીના ઘા ઝીંકીને યુવતીની હત્યા કરી હતી.
મળતી માહિતી મુજબ પ્રેમીકા મિત્તલના 26 તારીખે લગ્ન હતા, પરંતુ એક તરફી પ્રેમમાં પાગલ કેતન વાઘેલાને તેના લગ્ન થવાએ પસંદ ન હતુ. મિત્તલ બુધવારે સાંજે પોતાની બહેન સાથે લગ્નની ખરીદી માટે આવી હતી ત્યારે કેતન તેના બે મિત્રો સાથે બાઈક લઈને પહોંચ્યો હતો.
આ દરમિયાન કેતને અને તેના મિત્રોએ મિત્તલને જબરદસ્તી બાઈક પર બેસાડવાનો પ્રયાસ કર્યો. બાઈક પર બેસવાનો મિત્તલે વિરોધ કરતા કેતને મિત્તલ પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો. આ દરમિયાન મિત્તલ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. જે બાદ મિત્તલને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કરી હતી