— VTV Gujarati News and Beyond (@VtvGujarati) March 20, 2021
પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાન કોરોના વેર્સીનના એક ડોઝ લીધાના 2 દિવસ બાદ કોરોના સંક્રમિત થયા હોવાનું જાણવા મળ્યું છે. કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં પીએમ ઈમરાન ખાન હોમ ક્વોરન્ટાઈન થયા છે. આ સાથે જ ભારતીય પીએમ નરેન્દ્ર મોદીએ ઈમરાન ખાનના જ્લ્દી સાજા થવાની કામના કરી છે.
પીએમ મોદીએ કરી ટ્વિટ
પીએ મોદીએ ટ્વિટ કરીને કહ્યું, પીએમ ઈમરાન ખાનને કોરોના રિકવરીથી જલ્દી સાજા થવાની કામના. ઉલ્લેખનીય છે કે પીએમ ઈમરાન ખાને 18 માર્ચે જ કોરોના વેક્સીન લગાવડાવી હતી અને પછી તેઓ કોરોના સંક્રમિત થયા હતા.
Best wishes to Prime Minister @ImranKhanPTI for a speedy recovery from COVID-19.
હોમ ક્વોરન્ટાઈન થયા પીએમ ખાન
પાકિસ્તાન સ્વાસ્થ્ય મંત્રાલયના આધારે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાના તરત બાદ પીએમ ઈમરાન ખાન પોતાના ઘરમાં શિફ્ટ થયા છે અને સાથે જ પોતાને હોમ ક્વોરન્ટાઈન પણ કરી લીધા છે. તેઓએ તેમની સાથં સંપર્કમાં આવેલા લોકોને પણ ટેસ્ટ કરાવવાની અપીલ કરી છે. 24 કલાકની વાત કરીએ તો અહીં 3876 નવા કેસ આવ્યા છે. જે આ વર્ષનો સૌથી મોટો આંકડો છે.
આજે મળ્યા આ વર્ષના રેકોર્ડબ્રેક કેસ
સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું છે કે દેશમાં અત્યાર સુધીમાં 623135 લોકો કોરોના વાયરસથઈ સંક્રમિત છે. છેલ્લા 24 કલાકમાં 40 દર્દીના મોત બાદ મૃત્યુઆંક 13799 થયો છે. મંત્રાલયે કહ્યું કે દેશમાં કુલ 579760 લોકો સંક્રમિત છે. જ્યારે 2122 લોકોની સ્થિતિ ગંભીર છે અને તેમની સારવાર ચાલી રહી છે. આ સમયે પાકિસ્તાનમાં સંક્રમણનો દર વધીને 9.4 ટકા પહોંચ્યો છે.