ધર્મનગરી વારાણસીમાં નવનિર્મિત શ્રી કાશી વિશ્વનાથ ધામનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે લોકાર્પણ કરવાના છે, તે સમયે જે શ્લોક ગાન થવાનું છે તેનું મહાત્મય જાણવા જેવું છે.
વારાણસીમાં આજે દિવાળી જેવા માહોલ
PM મોદી કરશે કાશી વિશ્વનાથ કોરિડોરનું લોકાર્પણ
રવિ યોગમાં જે મંત્રોચ્ચાર થશે તેનું વિશેષ છે મહાત્મય
13મી ડિસેમ્બર એટલે કે આજે રવિ યોગ અને મહાસિદ્ધયોગનો સંયોગ છે, સાથે જ તે મંત્રોનું પણ વિશેષ મહાત્મય છે, આ સિદ્ધ યોગ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશ્વનાથ ધામનું ઉદ્ઘાટન કરવાના છે. આ લોકાર્પણ સમયે બ્રામ્હણો દ્વારા જે વૈદિક મંત્રોચ્ચાર થવાના છે તેના વિશે બહું ઓછા લોકો વાકેફ હશે.
શ્લોકનું શું છે મહાત્મય
એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ આ અથર્વશીર્ષ સ્તોત્રનો પાઠ કરે છે, તેના માર્ગમાંથી તમામ અવરોધો દૂર થાય છે અને બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. એટલે કે કાશીમાં શિવના ધામના ઉદ્ઘાટનમાં પીએમ મોદી સૌથી પહેલા તેમના પુત્ર ગણેશની પૂજા કરશે.
કાશી વિદ્યા પરિષદની દેખરેખ હેઠળ કરાશે પૂજા અર્ચના
प्रधानमंत्री श्री @narendramodi ने विश्व की सांस्कृतिक राजधानी काशी को एक भव्य और दिव्य स्वरूप प्रदान करने का जो संकल्प लिया था, कल उसकी सिद्धि होने जा रही है।
श्री विश्वनाथ धाम प्रोजेक्ट को पूरे विश्व को समर्पित करके कल प्रधानमंत्रीजी भारत में एक नया सांस्कृतिक अध्याय लिखेंगे। pic.twitter.com/Ho9fGP26cE
કાશી વિદ્યા પરિષદની દેખરેખ હેઠળ સમગ્ર પૂજા કરવામાં આવશે, તે પરિષદના મહાસચિવ અને BHU ધર્મ વિજ્ઞાનના પ્રોફેસર, ડૉ. રામનારાયણ દ્વિવેદીએ જણાવ્યું હતું કે પ્રથમ પૂજનીય ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટે, અથર્વશીર્ષના મંત્રો છે. તેના દ્વારા ગણપતિની પ્રાર્થના કરવામાં આવે છે જેથી તેઓ પોતાના ભક્તોનું સંકટ દૂર કરે.
વિશેષ મંત્રોનું થશે ગાન
ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ તમામ પીઠ, મઠો, અખાડાઓના સંતોની હાજરીમાં પીએમ નરેન્દ્ર મોદીએ નદીઓના પાણી સાથે કાશી વિશ્વનાથ ધામના ઉદ્ઘાટનની પૂજા કરી રહ્યા હશે. જેમાંથી કેટલાક વિશેષ મંત્રો આપને પણ સાઁભળવા મળશે. વેદ અને પુરાણોમાં પણ આ મંત્રોની શક્તિનો ઉલ્લેખ છે. આ મંત્રો અર્થર્વશીર્ષ અને શિવસૂક્તના હશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં પોતાના સૌથી મોટા ડ્રીમ પ્રોજેક્ટ કાશી કોરીડૉરનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છે. આ લોકાર્પણની રાહ ઘણા મહાદેવ ભક્તો વર્ષોથી જોઈ રહ્યા છે. પ્રધાનમંત્રી મોદી વારાણસીનાં સાસંદ બન્યા પછી આખા જિલ્લામાં અનેક કામો કરવામાં આવ્યા છે પરંતુ ભગવાન ભોળાનાથનાં મંદિરનું રિનોવેશન સૌથી મહત્વપૂર્ણ ગણવામાં આવી રહ્યું છે. આખી કાશી નગરીની કાયાપલટ કરવામાં આવી છે અને હવે બસ આવતીકાલે લોકાર્પણ થાય તેની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. આજે પ્રધાનમંત્રી મોદીની સાથે સાથે અનેક સંતો અને મહંતો કાર્યક્રમમાં હાજર રહેવાના છે, 12 જ્યોતિર્લિંગ અને 51 સિદ્ધપીઠોનાં પૂજારીઓની ઉપસ્થિતિમાં પીએમ મોદીના હસ્તે આવતીકાલે કોરિડોરનું ઉદ્ઘાટન કરવામાં આવશે.
કરોડોના કોરિડોરનું લોકાર્પણ
નોંધનીય છે કે વર્ષ 2019માં આ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી હતી અને તે બાદ આજનું કાશી વિશ્વનાથ મંદિર તદ્દન અલગ જ લાગી રહ્યું છે. હવે ગંગાઘાટ સીધા જ પરમેશ્વર મહાદેવના દર્શન થઈ શકશે, આખા કોરિડોરમાં 125 નાના મોટા મંદિરો બનાવવામાં આવ્યા છે. શ્રી કાશી વિશ્વનાથ મંદિરનાં કાર્યપાલક સમિતિનાં અધ્યક્ષ દિપક અગ્રવાલે કહ્યું કે આ એક ઐતિહાસિક ક્ષણ છે, સદીઓ પછી કાશી વિશ્વનાથ મંદિરણો જીર્ણોદ્ધાર થયો છે. લોકો સૈકાઓ સુધી આ કામને યાદ કરશે.
લોકોના ઘરે ઘરે અપાશે પ્રસાદ, જગમગી ઉઠશે મહાદેવની નગરી
આટલું જ નહીં 14, 15 અને 16 ડિસેમ્બરે વારાણસીનાં દરેક ઘરમાં મહાદેવનો વિશેષ પ્રસાદ અને એક પુસ્તક પહોંચાડવામાં આવશે. આવતીકાલે લેઝર શૉ અને આતિશબાજી સાથે આખા વારાણસીની ગલીઓ અને દરેક જગ્યા જગમગ થઈ ઉઠશે.
ઔરંગઝેબનાં સિપાહીઓ નંદીની મૂર્તિ તોડી નહોતા શક્યા
1669માં ઔરંગઝેબનાં આદેશ પર મુઘલ સેનાએ તોડી પાડ્યું હતું ભોળાનાથનું આ મંદિર, જોકે મહાદેવનાં સ્વયંભૂ જ્યોતિર્લિંગને કોઈ નુકસાન ન થાય તે માટે તે સમયના મહંત શિવલિંગ લઈને જ્ઞાનવાપી કુંડમાં કૂદી ગયા હતા. મુઘલ સસેનાએ મંદિરનાં નંદીની મૂર્તિ તોડવા ઘણા પ્રયાસ કર્યા પરંતુ તોડી નહોતા શક્યા.