પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણી 2019માં મળેલી પ્રચંડ બહુમત પછી દેશની જનતાનો આભાર વ્યકત કર્યો છે.
પાર્ટી અધ્યક્ષ અમિત શાહે PM મોદીથી પહેલા સ્ટેજ પરથી ભાજપ કાર્યકર્તાઓને સંબોધિત કર્યા. તેમણે પીએમ મોદીનુ સ્વાગત કરતા કહ્યુ કે, ''લોકસભામાં મળેલી જીત માટે જનતાનો આભાર, આ વિજય બૂથથી લઇને જમીન પર શ્રમ કરનારી તમામ જનતાનો વિજય છે. આ સરકારની નીતિઓનો વિજય છે.પીએમ મોદીની લોકપ્રિયતાનો વિજય છે.''
Delhi: Union Ministers Rajnath Singh, Sushma Swaraj, JP Nadda, Thawar Chand Gehlot and former MP CM Shivraj Singh Chouhan greet people at BJP Headquarters. #ElectionResults2019pic.twitter.com/VVcwwLuviO
અમિત શાહે કહ્યુ કે, ''આ એક ઐતિહાસિક જીત છે. 50 વર્ષ પછી કોઇ પાર્ટી પૂર્ણ બહુમતની સાથે સરકાર ચલાવવા મૌકો મળ્યો છે. અમે 50% લડાઇ લડી અને અમે 17 રાજ્યોમાં 50%થી વધારે વોટ મળ્યા. જનતાએ એકતરફ પ્રચંડ બહુમત આપી તો બીજી તરફ કોંગ્રેસની કરારી હાર મળી.'' રાજ્યોના નામ ગણાવતા કહ્યુ કે,'' કોંગ્રેસે 17 રાજ્યોમાં પોતાનું ખાતુ પણ ના ખોલી શકી. આ જીત પછી એક વાત સ્પષ્ટ થઇ ગઇ કે 50 વર્ષમાં કોંગ્રેસ પરિવારવાદના બળ પર રાજનીતિ કરતી હતી. પરંતુ અમારી પાર્ટીએ કામ કર્યુ અને જનતાએ અમને સમર્થન આપ્યુ.''
પાર્ટી અધ્યક્ષે કહ્યુ કે, ''યૂપીમાં સપા-બસપાના ગઠબંમધન પર સવાલ હતો કે શું થશે. પરંતુ જનતાએ 60 સીટ પર જીત અપાવીને પરિવારવાદને જડબાતોડ જવાબ આપ્યો છે. 2 દિવસ પહેલા એક્ઝિટ પૉલના પરિણામ આવ્યા અને 21 પરિવારવાદી પાર્ટીઓને દિલ્હીને હચમચાવી દીધી, પરંતુ એક્ઝિટ પૉલથી પણ વધારે આંકડો પહોંચ્યો છે.''
ચંદ્રબાબુ નાયડુ પર નિશાનો સાધતા અમિત શાહે કહ્યુ કે, જો તેમને આટલી મહેનત વોટ પ્રાપ્ત કરવા માટે કરી હોત તો કદાચ ખાતુ ખોલ્યુ હોય. વિધાનસભાની જીત માટે જગમોહન રેડ્ડીને બધાઇ આપી, આ સાથે જ નવીન પટનાયકને પણ વિધાનસભાની જીત માટે શુભકામનાઓ આપી. સિક્કમના મુખ્યમંત્રીને પણ વિધાનસભાની જીત માટે શુભકામનાઓ પાઠવી.
Amit Shah: We had told party workers that they'll have to get on the field to fight the battle of 50%. I can proudly say that in 17 states, people blessed us with more than 50% votes...On the other hand Congress had to face a crushing defeat. In 17 states Congress got a 'big 0'. pic.twitter.com/6C0fW3x3PL
અરૂણાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભાજપની પૂર્ણ બહુમત સરકાર બનવા પર તેમણે ભાજપ કાર્યકર્તાઓને શુભકામના આપી અને આભાર વ્યક્ત કર્યો.
બંગાળમાં મળેલી બઢત પછી અમિત શાહે કહ્યુ કે, ''બંગાળમાં અત્યાચાર હોવા છતાં 18 લોકસભા સીટ પર ભાજપની જીત થઇ. આ સાથે જ 5 વિધાનસભા સીટ પર ચૂંટણીમાં 4 પર પાર્ટીની જનતાએ વિશ્વાસ રાખ્યો અને જીત અપાવી. પાર્ટીને મળેલા આ વિજય પર પીએમ મોદીનો સૌનો સાથ સૌનો વિકાસ વાળી વિચારધારા કામ આવી. ''
પાર્ટી અધ્યક્ષ આગળ કહ્યુ કે, ''PM મોદીએ 5 વર્ષમાં દેશનો ગૌરવ વધારવાનું કામ કર્યુ અને જેની રાહ દેશની જનતા 70 વર્ષથી કરી રહી હતી. મોદી સરકારે દેશમાં ખૂણા-ખૂણામાં સુવિધાઓ પહોંચાડવાનું કામ કર્યુ અને જનતાએ આ માટે પાર્ટીને જીત અપાવી.''