પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશની જનતાને સમજાવતા કહ્યું કે વિચારો કોરોના વાયરસ પહેલા એક લાખ લોકોને સંક્રમિચ થવામાં 67 દિવસ લાગ્યા અને પછી એનાથી 2 લાખ લોકો સુધી પહોંચવામાં માત્ર 11 દિવસ લાગ્યા. એમને કહ્યું કે આ વધારે ડરામણું છે કે બે લાખ સંક્રમિત લોકોથી ત્રણ લાખ લોકો સુધી આ બિમારી પહોંચવામાં માત્ર 4 દિવસ લાગ્યા.
પીએમએ કહ્યું- લૉકડાઉને લઈને ખેંચો લક્ષ્મણ રેખા
આ ધૈર્ય અને અનુશાસનનો સમય છે- પીએમ મોદી
કોરોના વાયરસના સંક્રમણનું ચક્ર ખતમ કરવા માટે પીએમ મોદીએ અભૂતપૂર્વ પગલું ભરવાની જાહેરાત કરી છે. આ હેઠળ સમગ્ર હિન્દુસ્તાનમાં 21 દિવસ માટે લૉકડાઉન કરવાની જાહેરાત કરી દીધી છે. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજ રાતે 12 વાગ્યાથી સમગ્ર ભારતમાં લૉકડાઉન લાગૂ થઇ રહ્યું છે. મંગળવાર રાતે 8 વાગ્યે પ્રધાનમંત્રીએ દેશના નામ સંબોધનમાં દેશવ્યાપી લૉકડાઉનની જાહેરાત કરી.
મીડિયાકર્મી અને મેડિકલ સ્ટાફ સહિતનો વિચાર કરવા કહ્યું
PM મોદીએ કોરોના સંકટની વચ્ચે પોતાના જીવનો વિચાર કર્યા વિના 24 કલાક કામ કરી રહેલા ડૉક્ટર્સ સહિત મેડિકલ સ્ટાફ, મીડિયાકર્મીઓ, સફાઈકર્મીઓ જેવા લોકોનો આભાર માન્યો હતો. કેટલાંક લોકો લોકડાઉનને ગંભીરતાથી નથી લેતા તેમને ટકોર કરીને કહ્યું હતું કે તમારો નહીં તો આ લોકોનો વિચાર કરો જે જીવના જોખમે તમને બચાવવા માટે રાત-દિવસ કામ કરી રહ્યાં છે.
હવે તમારા ઘરની સામે લક્ષ્મણ રેખા
એની સાથે જ પીએમ મોદીએ કહ્યું કે આ જાહેરાત સાથે જ તમારા ઘરની સામે એક લક્ષ્મણ રેખા ખેંચી દેવામાં આવી છે. આ લક્ષ્મણ રેખાનું કોઇ પણ સંજોગે પાલન કરવાનું છે. પીએમ મોદીએ જોર આપીને કહ્યું કે ઘરમાં રહો, અને એક જ કામ કરો કે તમારા ઘરમાં રહો. નરેન્દ્ર મોદીએ કહ્યું, 'સાથીઓ, આજના નિર્ણયે દેશવ્યાપી લૉકડાઉને પોતાના ઘરના દરવાજા પર એક લક્ષ્મણ રેખા ખેંચી દેવામાં આવી છે.'
ખૂબ જ ઝડપથી ફેલાઇ રહ્યું છે સંક્રમણ
પ્રધાનમંત્રીએ કહ્યું કે ઝડપથી સંક્રમણ ફેલાવવાના કારણે જ ચીન, અમેરિકા, ફ્રાંસ, જર્મની, સ્પેન, ઇટલી-ઇરાન જેવા દેશોમાં જ્યારે કોરોના વાયરસે ફેલાવવાનું શરૂ કર્યું, તો પરિસ્થિતિ બેકાબૂ થઇ ગઇ.
પ્રધાનમંત્રીએ ઉપાય જણાવ્યો
નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે આ સંક્રમણને રોકવાનો ઉપાય શું છે? એમને કહ્યું કે આ મામલામાં આશાના કિરણ એ દેશોથી આવી રહ્યા છે જેમને આ બિમારીનો થોડાક અંશ સુધી કાબૂ મેળવી લીધો છે. પીએમએ કહ્યું કે આપણે પણ એવુ માનીને ચાલવું જોઇએ કે આપણી સામે આ એક માર્ગ છે. આપણે ઘરની બહાર નિકળવાનું નથી. ગમે તે થાય ઘરમાં જ રહેવાનું છે.
આ છે ધૈર્ય અને અનુશાસનનો સમય
પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત આજે એ સ્ટેજ પર છે જ્યાં આપણી આજની એક્શન નક્કી કરશે કે આ મોટી આપત્તિના પ્રભાવને આપણે કેટલો ઓછો કરી શકીએ છીએ. આ સમય આપણા સંકલ્પને વારંવાર મજબૂત કરવાનો છે. નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ ધૈર્ય અને અનુશાસનનો સમય છે. જ્યાં સુધી દેશ લૉકડાઉનની સ્થિતિમાં છે, આપણે આપણો સંકલ્પ નિભાવવાનો છે, આપણું વચન નિભાવવાનું છે.