PM મોદીએ નાગરિકતા સંશોધન કાયદાના સમર્થનમાં ઓનલાઈન કેમ્પેનની શરૂઆત કરી છે. પીએમ મોદીએ શરૂઆત કરતાં કહ્યું કે CAAનું સમર્થન ભારત કરે છે કારણકે CAA શરણાર્થીઓને નાગરિકતા આપવા વિશે છે. તે કોઈની નાગરિકતા લેવા માટે નથી. નમો એપ પર CAAની સાથે જોડાયેલા અનેક દસ્તાવેજ, વીડિયો અને કંટેટ છે. તમે તેના સમર્થનમાં અભિયાન ચલાવો.
PM મોદીએ ટ્વિટર પર શરૂ કર્યું અભિયાન
CAAનું સમર્થન કરે છે ભારત: PM મોદી
#IndiaSupportsCAA થી શરૂ કર્યું કેમ્પેન
PM મોદીએ નાગરિકતા સંશોધન કાયદાના સમર્થનમાં ટ્વિટર કેમ્પેનની શરૂઆત કરી છે. #IndiaSupportsCAA હેશટેગથી પીએમ મોદીએ કેમ્પેનની શરૂઆત કરતાં લખ્યું કે ભારત CAAનું સમર્થન કરે છે.
#IndiaSupportsCAA because CAA is about giving citizenship to persecuted refugees & not about taking anyone’s citizenship away.
Check out this hashtag in Your Voice section of Volunteer module on NaMo App for content, graphics, videos & more. Share & show your support for CAA..
પ્રધાનમંત્રી મોદીએ નાગરિકતા કાયદાની વિરુદ્ધમાં હિંસા કરનારાને કહ્યું કે આ લોકોએ પોતાને પ્રશ્ન પૂછવો જોઈએ કે શું તેમનો રસ્તો યોગ્ય છે? 25 ડિસેમ્બરે લખનઉમાં એક કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યું હતું કે સીએએની વિરુદ્ધનું પ્રદર્શનમાં જે સાર્વજનિક સંપત્તિને તેઓએ તોડી છે તે શું તેમના પરિવારના કામમાં ન આવતી? આ રીતે અફવાઓ પર હિંસા કરવાથી તેમનું પોતાનું જ નુકશાન છે. જે પ્રકારની હિંસા કરી રહ્યા છે તેમને પૂછવું જોઈએ કે શું આ રસ્તો યોગ્ય છે?
પ્રત્યેક નાગરિકને સારી સુવિધાઓ મેળવવાનો હક છે અને તેઓએ તેનું સંરક્ષણ કરવું જોઈએ
PM મોદીએ કહ્યું કે જે લોકો લાંબા સમયથી નાગરિકતા ન મળવાના કારણે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે તેમને આ કાયદાએ નાગરિકતા આપી છે. અમે 2014થી ચેલેન્જને ચેલેન્જ કરી રહ્યા છીએ. દેશના પ્રત્યેક નાગરિકને સારી સુવિધાઓ મેળવવાનો હક છે, પણ તેમનું સંરક્ષણ કરવું એ પણ તેમની જવાબદારી છે.
અમને વિરાસતમાં 370 મળ્યું
પીએમ મોદીએ કહ્યું કે ભવિષ્યમાં અમારા મૂલ્યાંકનથી બે વાતો બનશે. એક વિરાસતમાં મળેલી સમસ્યાઓને અમે કઈ રીતે ઉકેલી અને બીજું અન્ય રાષ્ટ્રના વિકાસ માટે અમે કેટલા યોગ્ય પગલાં લીધા છે. અમને વિરાસતમાં 370 મળ્યું. અમે તેને હટાવ્યું અને ઘણી સરળતાથી આ કરી બતાવ્યું.