પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પર્યાવરણ મંત્રીઓની રાષ્ટ્રીય કોન્ફરન્સનું વર્ચઅલી ઉદ્ધાટન કર્યું. જેમાં તેઓએ અર્બન નક્સલીઓ પર આકરા પ્રહારો કર્યા.
રાષ્ટ્રીય કોન્ફ્રરન્સનું PM મોદીએ વર્ચ્યુઅલી ઉદ્ધાટન કર્યું
અર્બન નક્સલીઓ પર આકરા પ્રહારો કર્યા
ઘણા વર્ષો સુધી અર્બન નક્સલીઓએ રોકીને રાખ્યા હતા વિકાસના કાર્યોઃ PM
એકતાનગર(કેવડિયા) ટેન્ટ સીટી ખાતે બે દિવસ પર્યાવરણ મંત્રીઓની રાષ્ટ્રીય કોન્ફરન્સ (National Conference Of Environment)નું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી ઉદ્ધાટન કર્યું છે. આ પ્રસંગે તેઓએ સભાને સંબોધિત કરતા જણાવ્યું કે, એકતાનગર વન અને પર્યાવરણ ક્ષેત્રે એક તીર્થ બની ગયું છે. આગામી 25 વર્ષ માટે દેશ નવા લક્ષ્યો નક્કી કરવા જઈ રહ્યો છે. નવા વિચાર, નવા ભારત અને નવા એપ્રોચની સાથે ભારત દેશ આગળ વધી રહ્યો છે. ભારત ઝડપથી વિકસિત અર્થવ્યવસ્થા તરફ વધી રહ્યું છે. દેશની ઇકોનોમી પણ મજબુત થઈ રહી છે. પીએમ મોદીએ કહ્યું કે, અમે જોયું છે કે Environment clearanceના નામ પર દેશમાં આધુનિક Infrastructureના નિર્માણને કેવી રીતે ઉલઝાવવામાં આવતું હતું.
પીએમ નરેન્દ્ર મોદીએ શુક્રવારે અર્બન નક્સલીઓ પર આકરા પ્રહારો કર્યા. પર્યાવરણ મંત્રીઓની કોન્ફરન્સમાં તેમણે કહ્યું કે, રાજકીય પીઠબળ ધરાવતા અર્બન નક્સલીઓએ ઘણા વર્ષો સુધી વિકાસ કાર્યોને રોકીને રાખ્યા હતા.
Addressing the National Conference of Environment Ministers being held in Ekta Nagar, Gujarat. https://t.co/jo9e9OgeEB
તેમણે કહ્યું કે, રાજકીય રીતે સમર્થિત શહેરી નક્સલીઓ અને વિકાસ વિરોધી તત્વોએ ગુજરાતમાં નર્મદા નદી પર સરદાર સરોવર ડેમના નિર્માણને ઘણા વર્ષો સુધીને રોકીને રાખ્યું હતું. તેઓનો દાવો હતો કે આ પર્યાવરણને નુકસાન પહોંચાડશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આજે આ ડેમ બનીને તૈયાર છે, તમે જોઈ શકો છો કે તેમના દાવા કેટલા ખોખલા હતા.
મેં પૂર્ણ કર્યું નહેરુજીનું કામઃ PM
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, સરદાર સરોવર ડેમનો શિલાન્યાસ આઝાદી બાદ તરત જ કરવામાં આવ્યો હતો. સરદાર વલ્લભભાઈ પટેલે આમાં મોટી ભૂમિકા ભજવી હતી અને પંડિત જવાહરલાલ નહેરુંએ શિલાન્યાસ કર્યો હતો, પરંતુ તમામ અર્બન નક્સલીઓ મેદાનમાં આવી ગયા હતા. આ અભિયાન પર્યાવરણ વિરોધી છે એવો ખોટો પ્રચાર કરવામાં આવ્યો હતો. નેહરુજીએ જે કામ શરૂ કર્યું હતું તે મારા આવ્યા પછી પૂરું થયું.
અગાઉ ક્લિયરન્સ મેળવવામાં લાગતો હતો આટલો સમય
PM મોદીએ કહ્યું કે, પરિવેશ પોર્ટલ એ તમામ પ્રકારની પર્યાવરણ મંજૂરી(Environment clearance) માટે સિંગલ વિન્ડો સિસ્ટમ છે. અગાઉ ક્લિયરન્સ મેળવવામાં 600 દિવસથી વધારે સમય લાગતો હતો. આજે માત્ર 75 દિવસમાં કામ થઈ જાય છે. પર્યાવરણની મંજૂરી આપવામાં નિયમોનું પણ ધ્યાન રાખવામાં આવે છે અને જે તે વિસ્તારના લોકોના વિકાસનું પણ ધ્યાન રાખવામાં આવે છે.
બે દિવસીય કોન્ફરન્સમાં છ વિષયવાર સત્રો હશે
આપને જણાવી દઈએ કે, સહકારી સંઘવાદની ભાવનાને આગળ વધારતા, કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે વધુ સુમેળ બનાવવા માટે આ પરિષદ બોલાવવામાં આવી રહી છે. તા.23 અને તા.24 મી સપ્ટેમ્બરના રોજ આયોજિત બે દિવસીય કોન્ફરન્સમાં છ વિષયવાર સત્રો હશે, જેમાં લાઇફ, કોમ્બેટિંગ ક્લાઈમેટ ચેન્જ પરિવેશ (એકટીગ્રેટેડ ગ્રીન ક્લિયરન્સ માટે સિંગલ વિન્ડો સિસ્ટમ); ફોરેસ્ટ્રી મેનેજમેન્ટ; પ્રદૂષણનું નિવારણ અને નિયંત્રણ; વન્યજીવન વ્યવસ્થાપન; પ્લાસ્ટિક અને વેસ્ટ મેનેજમેન્ટ (ઉત્સર્જનના ઘટાડા માટે ક્લાઈમેટ ચેન્જ પર સ્ટેટ એક્શન પ્લાન અપડેટ કરવા અને ક્લાઈમેટ ઈમ્પેક્ટ્સ માટે અનુકૂલન) પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે લાઇફ, ક્લાઇમેટ ચેન્જ, પ્લાસ્ટિક વેસ્ટનો સામનો કરવા, વન્યજીવન અને વન વ્યવસ્થાપન સંબંધિત મુદ્દાઓ પર વધુ તાલમેલ બનાવવા માટે યોજાશે