ગઈ કાલે એટલે કે 5 જૂનના રોજ યોગી આદિત્યનાથનો જન્મદિવસ હતો. ઘણા રાજનૈતિક અને અન્ય ક્ષેત્રો સાથે જોડાયેલા દિગ્ગજોએ તેમને જન્મદિવસની શુભકામનાઓ આપી હતી.
5 જૂનના રોજ યોગી આદિત્યનાથનો જન્મદિવસ હતો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ન હતી પાઠવી જન્મદિવસની શુભકામનાઓ
આ દિગ્ગજ હસ્તીઓએ પાઠવી હતી જન્મદિવસની શુભકામનાઓ
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો ગઈ કાલે જન્મદિવસ હતો. ઘણી રાજનૈતિક અને અન્ય ક્ષેત્રોની દિગ્ગજ હસ્તિઓએ તેમને જન્મદિવસની શુભકામનાઓ આપી. આમ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મોટાભાગે પોતાના સરકારના મંત્રીઓ, પાર્ટી નેતાઓ અને વિપક્ષી દળોના નેતાઓને તેમના જન્મદિવસ પર ટ્વીટર પર શુભકામનાઓ આપે છે.
આ કારણે ન હતી પાઠવી શુભકામનાઓ
પરંતુ પીએમ મોદીએ સીએમ યોગી આદિત્યનાથને ટ્વિટર પર શુભકામનાઓ ન આપી. પ્રધાનમંત્રીએ તેમને ફોન પર શુભકામનાઓ આપી. PMO સૂત્રોના જણાવ્યા અનુસાર પાછલા અમુક અઠવાડીયાથી પીએમ મોદીએ ટ્વિટર પર કોઈ પણ નેતાને જન્મદિવસની શુભકામનાઓ નથી આપી. દેશમાં કોરોના વાયરસની બીજી લહેરના કારણે પીએમ મોદીએ આમ કર્યું છે. યોગી આદિત્યનાથ પહેલા 27મેના રોજ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનો જન્મદિવસ હતો. પીએમ મોદીએ તેમને પણ ટ્વિટર પર શુભકામનાઓ ન હતી પાઠવી.
કોણો કોણે પાઠવી હતી શુભકામનાઓ?
મહત્વનું છે કે સીએમ યોગીની જન્મદિવસ પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ઉપ-રાષ્ટ્રિય વેંકૈયા નાયડૂ, યુપીના ડિપ્ટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યા અને દિનેશ શર્મા અને તેમની સરકારના લગભગ દરેક મંત્રીઓએ તેમને શુભકામનાઓ આપી હતી અને લાંબી ઉંમરની કામના કરી હતી.