સુરતઃ રવિવારે રન ફોર ન્યુ ઈન્ડિયા મેરેથોનનુ આયોજન કરવામાં આવી રહ્યુ છે. આ કાર્યક્રમને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રસ્થાન કરાવશે. શહેરમાં મેરથોનનુ આયોજનના ભાગરૂપે શહેરને રોશનીથી સજાવવામાં આવ્યુ છે.
કારગિલ સર્કલને લાઇટિંગથી સુંદર રીતે શણગારવામાં આવ્યુ છે. આ ઉપરાંત સર્કલ પર રન ફોર ન્યુ ઈન્ડિયાના બેનરો લગાવવામાં આવ્યાં છે.
ઉલ્લેખનીય છે કે પીએમ મોદીએ પીએમ મોદીએ આજે 24 ફેબ્રુઆરીના રોજ દમણમાં એક હજાર કરોડની યોજનાઓનું ઉદ્ઘાટન કર્યું હતું. સાથે જ માછીમારો માટે અનેક સહાયની જાહેરાત કરી હતી.
પીએમએ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ગેસ પાઇપ લાઇન ઇલેક્ટ્રિક સબ સ્ટેશન અને નગરપાલકા બજારની આધારશિલા પણ રાખી હતી. ત્યારબાદ પીએમ મોદી સુરતથી ચેન્નઇ જવા રવાના થયા હતા. જ્યાંથી આવતીકાલે ફરીથી પીએમ મોદી ગુજરાત આવશે. સુરતમાં રન ફોર ન્યુ ઇન્ડિયા મેરથોનનું પ્રસ્થાન કરાવશે.