બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ગુજરાત / pm modi will lose elections if he contests from gujarat says rakesh tikait

ખેડૂત આંદોલન / PM મોદી વિશે ખેડૂત નેતા રાકેશ ટિકૈતનું મોટું નિવેદન, કહ્યું જો ગુજરાતથી ચૂંટણી લડશે તો...

Bhushita

Last Updated: 08:05 AM, 6 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખેડૂત નેતા રાકેશ ટિકૈતે નિવેદન આપતાં કહ્યું કે જો પીએમ મોદી ગુજરાતથી ચૂંટણી લડશે તો તેઓ જરૂરથી હારશે.

  • ખેડૂત નેતા રાકેશ ટિકૈતનું મોટું નિવેદન
  • પીએમ મોદીને લઈને કહી આ વાત
  • જો પીએમ મોદી ગુજરાતથી ચૂંટણી લડશે તો તેઓ જરૂરથી હારશેઃ ટિકૈત


સંયુક્ત કિસાન મોર્ચાએ ગઈકાલે પશ્ચિમી ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં એક ઐતિહાસિક ખેડૂત મહાપંચાયતનું આયોજન કર્યું હતું. ખેડૂત નેતાએ મંચથી આવનારી ચૂંટણીમાં રાજ્ય અને દેશમાં ક્યાંયથી પણ હટાવવાનો નિર્ણય કર્યો છે. મહાપંચાયતમાં ભારતીય કિસાન યૂનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈત છવાયેલા રહ્યા. ઘરની પાસે થઈ રહેલા આયોજન પછી પણ તેઓ મહાપંચાયતને ખતમ થયા બાદ તરત પોતાના ગૃહ જિલ્લામાં ન રહીને ગાઝીપુરના આંદોલનમાં સામેલ થવા પહોંચ્યા. મહાપંચાયતના બાદ રાકેશ ટિકૈતે  કેટલીક વાતો કહી. 

રાકેશ ટિકૈતે કહી આ વાત
તેઓએ કહ્યું કે આ દેશની સંસદ બહેરી થઈ ચૂકી છે. સ્વાબાવિક છે કે નાગરિકોએ સડક પર ઉતરવું પડશે અને સુનિશ્ચિત કરવું પડશે કે કેન્દ્ર અમારી માંગને સાંભળે.ટિકૈતે કૃષિ ક્ષેત્રમાં તાકાત બતાવવાની આવશ્યકતા પર ભાર મૂકતા કહ્યું કે અમે સરકારને તો તેમના પક્ષમાં મતદાન કરવા કે પોતાના વોટ બેંકને ઘટાડીને અમારી માંગો સાંભળવાનું કહી શકીએ છીએ. આ સરકાર ખેડૂતોની વાત સાંભળી રહી નથી આ માટે અમે તેમની ચૂંટણીની સંભાવનાઓ પર મુશ્કેલી સર્જીશું.

મહાપંચાયતમાં આ વાતની કરી જાહેરાત
મહાપંચાયતની સાથે જ એસકેએમએ મિશન યૂપીને પણ લોન્ચ કર્યું છે અને ભાજપની ચૂંટણીની સંભાવનાઓને નુકસાન પહોંચાડવાની જાહેરાત કરી છે. મહાપંચાયતમાં પોતાના સંબોધનમાં બીકેયૂ નેતાએ કહ્યું કે પીએમ મોદીએ યૂપીથી ચૂંટણી ન લડવી જોઈએ પણ ગુજરાતથી પોતાનું ભાવિ અજમાવવું જોઈએ. આ રીતેના નિવેદન પાછળ તર્ક અને જરૂરિયાતનું કારણ પૂછતાં ટિકૈતે કહ્યું કે પીએમ મોદી જો ગુજરાતથી ચૂંટણી લડશે તો તેઓ હારી જશે. તેઓએ ગુજરાતને નષ્ટ કરી દીધું હતું, તેઓએ તેને પોલિસ રાજ્યમાં બદલી દીધું છે. 

યૂપીની ચૂંટણી પહેલાથી ભાજપ પર વધ્યું દબાણ
અસકેઅમની મુઝફ્ફરનગરની મહાપંચાયતના ઉદ્દેશ્ય ઉત્તર પ્રદેશના મહત્વપૂર્ણ ચૂંટણી પહેલા ભાજપ પર દબાણ વધારવાનો હતો. પશ્ચિમ યૂપીના ખેડૂતોને માટે મહત્વનું છે અને કોઈપણ રાજકીય સંગઠનને માટે તેના વિરોધમાં તેમના સામૂહિક આંદોલન વિધાનસભા ચૂંટણીને પ્રભાવિત કરી શકે છે. આ સાથે એક સવાલ કરાયો કે શું કેન્દ્ર સરકાર કે તેમની તરફથી કોઈ અધિકૃત નિવેદન કે અનોપચારિક ચેનલની મદદથી કિસાન મોર્ચા સુધી કોઈ સંદેશ આવ્યો છે તેને લઈને ટિકૈતે નકારાત્મક જવાબ આપ્યો છે. તેઓએ કહ્યું હજુ તો બહુ જલ્દી છે.કૃષિ કાયદા પર વાતચીત ફરીથી શરૂ કરવા માટે સરકારની તરફથી હજુ સુધી કોઈ વાત થઈ નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ