બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / PM Modi will come to Gujarat on July 28 and 29
Dhruv
Last Updated: 03:32 PM, 18 July 2022
ADVERTISEMENT
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીવાર ગુજરાત પ્રવાસે આવશે. તારીખ 28 અને 29 જુલાઈના રોજ PM મોદી ગિફ્ટ સિટી અને સાબર ડેરીના કાર્યક્રમમાં હાજરી આપશે. નોંધનીય છે કે, અગાઉ વરસાદના કારણે કાર્યક્રમ રદ થયો હતો.
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં વરસાદની સ્થિતિને જોતા અગાઉ PM મોદીનો સાબર ડેરીનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો. અગાઉ તારીખ 15મી જુલાઈના રોજ સાબર ડેરીમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખુદ PM મોદી કાર્યક્રમમાં સામેલ થવાના હતા. પરંતુ રાજ્યમાં અવિરત મેઘમહેરના કારણે PM મોદીનો સાબર ડેરીનો કાર્યક્રમ રદ કરાયો હતો.
સાબર ડેરીના કુલ 3 પ્રોજેક્ટના લોકાર્પણ માટે PM મોદી ગુજરાત આવવાના હતા
ઉલ્લેખનીય છે કે, 15 જુલાઇના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવવાના હતા. વડાપ્રધાનના હસ્તે સાબર ડેરી ખાતે નિર્માણ પામેલા બે પ્લાન્ટનું લોકાર્પણ અને એક પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરવાનું હતું. હિંમતનગરમાં આવેલી સાબર ડેરીમાં અંદાજિત 200 કરોડ રૂપિયાથી વધારેના ખર્ચથી બનેલા પાવડર પ્લાન્ટનું તેઓ લોકાર્પણ (Inauguration of Sabar Dairy Project) કરવાના હતા.
પશુપાલકોની આર્થિક જીવાદોરી સમાન સાબર ડેરીમાં 13 જેટલા પ્લાન્ટ છે કાર્યરત
તમને જણાવી દઇએ કે, સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લાના સાડા ત્રણ લાખ પશુપાલકોની આર્થિક જીવાદોરી સમાન સાબર ડેરીમાં દૂધની અલગ-અલગ બનાવટો માટે 13 જેટલા પ્લાન્ટ કાર્યરત છે. ત્યારે એવામાં બીજી તરફ સાબર ડેરી દ્વારા નવીન બે પ્લાન્ટોનું PM મોદીના હસ્તે લોકાર્પણ અને એક પ્લાન્ટનું ખાતમુહૂર્ત થવાનું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.