ગુજરાત રાજ્યને વાવાઝોડાએ હચમચાવી નાંખતા ભારે તારાજી થઈ છે જેમાં 45 લોકોએ જીવ ગુમાવ્યા છે ત્યારે PM મોદી સ્થિતિની સમીક્ષા કરવા ગુજરાત પહોંચ્યા છે.
ગુજરાતમાં વાવાઝોડાનું તાંડવ
સૌરાષ્ટ્રમાં મોટી તબાહી, અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં પણ નુકસાન
હવાઈ સર્વેક્ષણ બાદ અમદાવાદ આવશે પીએમ મોદી, કરશે બેઠક
LIVE UPDATES :
તૌકતેનો સૌથી વધારે ભોગ બનેલા ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથનું હવાઈ સર્વેક્ષણ કર્યાં બાદ પ્રધાનમંત્રીએ ગુજરાત માટે 1000 કરોડના રાહત પેકેજની જાહેરાત કરી છે.
મૃતકોના પરિવારને 2 લાખની સહાય
વાવાઝોડામાં મોતને ભેટેલા લોકોના પરિવારજનોને 2-2 લાખની તથા ઈજાગ્રસ્તોને 50 હજારની સહાયની જાહેરાત કરવામાં આવી છે. પ્રભાવિત વિસ્તારોના આકલન માટે એક કેન્દ્રીય ટીમ પણ ગુજરાત આવશે અને જાત માહિતી મેળવીને સરકારને રિપોર્ટ આપશે. સર્વે માટે એક ટીમ પણ ગુજરાત આવશે.
03.18 PM, MAY 19 2021
ગુજરાતના વાવાઝોડાથી પ્રભાવિત ક્ષેત્રોના હવાઈ સર્વેક્ષણ બાદ પીએમ મોદી અમદાવાદ પહોંચ્યા
03.04 PM, MAY 19 2021
હવાઈ સર્વેક્ષણ બાદ પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું હતું કે કેન્દ્ર સરકાર વાવાઝોડાથી પ્રભાવિત થયેલ રાજ્યો સાથે મળીને સતત કામ કરી રહી છે. આજે દીવ તથા ગુજરાતના કેટલાક ક્ષેત્રોનું હવાઈ સર્વેક્ષણ કર્યું છે.
Undertook an aerial survey over parts of Gujarat and Diu to assess the situation in the wake of Cyclone Tauktae. Central Government is working closely with all the states affected by the cyclone. pic.twitter.com/wGgM6sl8Ln
12.25 PM, MAY 19 2021
પ્રધાનમંત્રી મોદીએ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે ભાવનગર સહિત અસરગ્રસ્ત વિસ્તારોમાં હવાઈ નિરીક્ષણ કર્યું અને પરિસ્થિતિની માહિતી મેળવી.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 19, 2021
12.15 PM, MAY 19 2021
પીએમ મોદી ગુજરાતનું હવાઈ સર્વેક્ષણ કરવા માટે ભાવનગર એરપોર્ટ પર પહોંચ્યા છે. ભાવનગરમાં સીએમ રૂપાણી તથા ગુજરાતના અન્ય અધિકારીઓ ઉપસ્થિત છે. પીએમ હેલિકોપ્ટરના મધ્યમથી હવે હવાઈ સર્વેક્ષણ કરશે.
ગુજરાતમાં વાવાઝોડાએ ભારે નુકસાન સર્જ્યુ છે, રાજ્યમાં હજારોની સંખ્યામાં ઝાડ અને વીજ પોલ ધરાશાયી થઈ ગયા છે જ્યારે 16 હજાર કાચા પાકા મકાન પડી જતાં લોકો નિરાધાર બન્યા છે. રાજ્યમાં 45 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે ત્યારે પીએમ મોદી ગુજરાતમાં જુદા જુદા જિલ્લાઓમાં થયેલી તબાહીનું હવાઈ સર્વેક્ષણ કરશે સાથે દીવની પણ સમીક્ષા કરશે.
અમદાવાદ આવીને કરશે બેઠક, લેવાઈ શકે છે મોટો નિર્ણય
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દીવમાં પણ વાવાઝોડા બાદની પરિસ્થિતિનું હવાઈ નિરીક્ષણ કર્યા બાદ અમદાવાદ આવશે અને મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ રાજ્યના વરિષ્ઠ સચિવો સાથે સમીક્ષા બેઠક યોજશે. આ બેઠકમાં સમગ્ર પરિસ્થિતિનું આકલન કરશે. આ દરમિયાન PM મોદી રાહત પેકેજનું પણ એલાન કરે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. બેઠક બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદથી દિલ્લી જવા રવાના થશે.