અંબાજીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદથી અંબાજી પહોંચ્યા છે. જ્યાં માં અંબા પાસે ભાજપની જીત માટે શક્તિની પૂજા કરશે. ત્યારે તેમણે અંબાજીમાં ધર્મના પથ પર પીએમ મોદીએ રાજકીય પ્રચાર માટે રોડશો યોજ્યા છે. જ્યાં બહોળી સંખ્યામાં જનમેદની ઉમટી છે. પીએમ મોદીએ લોકોનું અભિવાદન ઝીલ્યું હતુ.
ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી મોદી બીજા તબક્કાના મતદાન આડેની એક પળ પણ પ્રચાર માટે ચૂકવાના મૂડમાં નથી. આજે પીએમ ફરી વખત સાબરમતી નદીના નીર પર સી-પ્લેનથી વિકાસની ઉડાન ભરી હતી. ત્યાંથી સી-પ્લેનમાં બેસીને જ પીએમ મોદી ધરોઈ ડેમ પહોંચ્યા હતા.
જ્યાં ધરોઈ ડેમનની સપાટી પર સી-પ્લેનનું ઉતરાણ કરાવી. શક્તિપીઠ અંબાજી ખાતે માં અંબાના દર્શન કરવા પહોંચ્યા. દર્શન બાદ બપોરે 2.30 વાગ્યે ધરોઈથી સાબરમતી રિવરફ્રંટ પર પરત ફરશે.