વડાપ્રધાન મોદી 5 નવેમ્બરે ઉત્તરાખંડ જવાના છે. જ્યા તેઓ કેદારનાથ મંદિરમાં પૂજા અર્ચના કરશે. ત્યારબાદ તેઓ શંકરાચાર્યની સમાધિનું ઉદ્ઘાટન પણ કરવાના છે. શંકરાચાર્યની સમાધી 2013માં જ્યારે ઉત્તરાખંડમાં વાદળ ફાટ્યું ત્યારે વેરવીખેર થઈ ગઈ હતી. જેનું ફરીથી રિનોવેશન કરવામાં આવ્યું છે.
130 કરોડના વિકાસના કામોનું લોકાર્પણ
વડાપ્રધાને આ યોજનાની સતત સમીક્ષા કરી હતી. આ પ્રસંગે વડાપ્રધાન મોદી ઉત્તરાખંડમાં જનસભાને પણ સંબોધિત કરાવાના છે. તેઓ સરસ્વતી રિટેનિંગ વોલ, આસ્થાપટ અને ઘાટ રિટેનિંગ સહિત મંદાકિની નદી પર ગરુડ ચટ્ટી પુલનું પણ તેઓ ઉદ્ઘાટન કરવાના છે. આ યોજનાઓને લઈને 130 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.
અગાઉ 180 કરોડના વિકાસના કામ કરાયા
આ સાથેજ વડાપ્રધાને અન્ય 180 કરોડના વિકાસના કામો પણ કર્યા છે. જેમા પર્યટકો માટે સુવિધા વધારે સારી કરી, પ્રશાસન માટે યોગ્ય કાર્યાલય બનાવ્યું, હોસ્પિટલ પણ બનાવ્યું અને બે ગેસ્ટ હાઉસ પણ તૈયાર કર્યા છે.
અમેરિકામાં યુએન મહાસભામાં આપ્યું હતું સંબોધન
મહત્વનું છે કે હાલ વડાપ્રધાન મોદી ઈટલીમાં ગયા છે. જ્યા તેમણે જી-20 સંમેલનમાં હાજરી આપી છે. અગાઉ તેઓ અમેરિકાના પ્રવાસે ગયા હતા. જ્યા તેમણે યુએન મહાસભામાં સંબોઘન આપ્યું હતું. ઈટલીથી પરત આવીને તેઓ ઉત્તરાખંડમાં કેદારનાથના દર્શન કરવા જશે જ્યા તેઓ શંકરાચાર્યની સમાધીનું લોકાર્પણ કરવાના છે.