વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ત્રણ દેશના પ્રવાસે જઇ રહ્યાં છે. પીએમ મોદી ફ્રાંસ, સંયુક્ત અરબ અમીરાત (UAE) અને બહેરીનની મુલાકાત લેશે. ઉલ્લેખનીય છે કે આ ત્રણેય દેશ કાશ્મીર મામલે ભારતને સમર્થન આપી ચૂક્યાં છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ત્રણ દેશોની યાત્રા પર રવાના થઇ રહ્યાં છે. પીએમ મોદી ફ્રાંસ સહિત યુએઇ અને બેહરીનની મુલાકાત લેશે. યુએઇ ખાતે પીએમ મોદીને સર્વોચ્ચ સન્માનથી નવાજવામાં આવશે. યુએઇમાં પીએમ મોદીને ઝાયદ મેડલથી સન્માનિત કરવામાં આવશે.
ઝાયદ મેડલ યુએઇનું સર્વોચ્ચ નાગરિક સન્માન છે. પીએમ નરેન્દ્ર મોદી બહેરીનના નેતાઓ સાથે મુલાકાત કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બહેરીન ખાતે ભારતીય સમુદાયના લોકોને સંબોધન કરશે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફ્રાંસમાં G7 બેઠકમાં ઉપસ્થિત રહેશે.
પીએમ મોદીને G7 બેઠકમાં વિશેષ અતિથી તરીકે આમંત્રિત કરાયા છે. G7 સમૂહ દેશોનું 45મું સંમેલન ફ્રાંસના બિયારિત્ઝમાં યોજાશે. ફ્રાસમાં 24થી 26 ઓગસ્ટ વચ્ચે G7 સમુહનું સંમેલન યોજાશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવાના ફ્રાંસ, યુનાઇટેડ અરબ અમીરાત અને બહેરીનના પ્રવાસે જઇ રહ્યાં છે. પીએમ મોદીની આ પ્રવાસનો હેતુ દ્વિપક્ષીય મુલાકાત સહિત રક્ષા અને સુરક્ષાના ક્ષેત્રમાં સહયોગ વધુ કરવાનો રહેશે.
જ્યારે યુએઇ અને બહેરીનનો પ્રવાસ સંપૂર્ણ રીતે દ્વિપક્ષીય રહેશે. જ્યારે ફ્રાંસમાં પીએમ મોદી G7 શિખર સંમેલનમાં ઉપસ્થિત રહેશે. GY શિખર સંમેલન બિયારિત્ઝમાં યોજાશે. ઉલ્લેખનીય છે કે પીએમ મોદી પેરિસ ખાતે ફ્રાંસના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરશે.
ત્યારબાદ પીએમ મોદી ભારતીય સમુદાય દ્વારા આયોજીત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ઉલ્લેખનીય છે કે કાશ્મીર મામલે ફ્રાંસના સમર્થનના કારણે પાકિસ્તાન અને ચીનને આ મુદ્દે UNSCમાં અસફળતાનો સામનો કરવો પડ્યો હતો.