પીએમ મોદી ગાંધીનગર રેલ્વે સ્ટેશન અને તેની ઉપર 318 રૂમની 5 સિતારા હોટલનું વર્ચ્યુઅલી ઉદ્ધાટન કરશે. સાથે જ સુપરફાસ્ટ ગાંધીનગર- વારાણસી ટ્રેન અને બરેઠા મેમૂ ટ્રેનનું ઉદ્ધાટન કરશે.
પીએમ મોદી આજે ગુજરાતને આપશે મોટી ભેટ
જ્યાં ચા વેચી હતી તે રેલ્વે સ્ટેશનનું કરશે ઉદ્ધાટન
318 રૂમની 5 સિતારા હોટલનું પણ કરશે ઉદ્ધાટન
પીએમ મોદી ગુરુવારે સંસદ પહોંચનારી કર્મભૂમિ કાશીમાં હતા તો આજે પોતાની જન્મભૂમિ ગુજરાતમાં સૌગાતની જાજમ બિછાવશે. આજે પીએમ મોદી સાંજે 4 વાગે ગુજરાતમાં રેલ પરિયોજનાનું ઉદ્ધાટન કરશે. આ સિવાય એકાટિક્સ, રોબોટિક્સ ગેલેરી અને નેચર પાર્ક જનતાને સમર્પિત કરશે. સૌથી ખાસ દેશના પહેલા પુનર્વિકસિત ગાંધીનગર કેપટિલ રેલ્વે સ્ટેશનનું ઉદ્ધાટન કરાશે. પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપના આધારે પુનર્વિકસિત આ રેલ્વે સ્ટેશનમાં સુવિધાઓની ભરમાર છે.
આટલા કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયું છે રેલ્વે સ્ટેશન
ગાંધીનગર કેપિટલ રેલ્વે સ્ટેશનને 71 કરોડ રૂપિયાના ખર્ચે આધુનિક બનાવાયું છે. રેલ્વે સ્ટેશનમાં એરપોર્ટની સુવિધાઓ આપવામાં આવી છે. ગાંધીનગર કેપિટલ રેલ્વે સ્ટેશનમાં વધારે આધુનિક થીમ આધારિત લાઈટિંગની વ્યવસ્થા કરાઈ છે. આ સ્ટેશન પરિસરમાં પાંચ સિતારા હોટલ પણ હશે.
ક્યારેક વેચી હતી ચા, આજે તેનું પણ કરશે ઉદ્ધાટન
પીએમ મોદી આજે ગુજરાતના વડનગર રેલ્વે સ્ટેશનનું વર્ચ્યુઅલી ઉદ્ધાટન કરશે. આ એ જ વડનગર રેલ્વે સ્ટેશન છે જ્યાં પીએમ મોદી ટ્રેનમાં ચા વેચતા હતા. વડનગર રેલ્વે સ્ટેશનની આજે કાયાકલ્પ થનારી છે. ઉદ્ધાટનની સાથે વડનગર બ્રોડ ગેજ રેલ્વેસ્ટેશન સેન્ટ્રલ રેલ્વેના માધ્યમથી દેશના અન્ય ભાગમાં જોડાશે. તેને વડનગર- મોઢેરા- પાટણ હેરિટેજ સર્કિટ બનાવાયું છે. વડનગર સ્ટેશનની ઈમારતમાં પત્થરનું નક્શીકામ કરાયું છે. આખા સ્ટેશનને હેરિટેજ લૂક અપાયો છે. સ્ટેશન પર 2 યાત્રી પ્લેટફોર્મ અને એક ફૂટઓવર બ્રિજ હશે. સાથે યાત્રીઓ માટે કેફેટેરિયા અને વેટિંગ રૂમ પણ હશે. પીએમની આ સ્ટેશનની યાદો તાજી થશે. જ્યારે તે તેમના પિતાની ચાની દુકારન પર કામ કરતા, ટ્રેનમાં યાત્રીઓને ચા વેચતા. આજે તેઓ દેશના પીએમના રૂપમાં આ સ્ટેશનને નવું રૂપ આપી રહ્યા છે.