બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / pm modi to unveil renovated jallianwala bagh memorial today know what is special

વિશેષતાઓ / PM મોદી આજે જલિયાંવાલા બાગના નવા પરિસરનું કરશે ઉદ્ઘાટન, જાણો શું છે ખાસિયતો

Premal

Last Updated: 01:01 PM, 28 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પંજાબના અમૃતસરમાં જલિયાંવાલા બાગ સ્મારકના પુન:નિર્મિત પરિસરનું વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઉદ્ઘાટન કરશે. વડાપ્રધાન કાર્યાલય તરફથી આપવામાં આવેલી માહિતી મુજબ, આજે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જલિયાંવાલા બાગના નવા પરિસરને રાષ્ટ્ર સમક્ષ સમર્પિત કરશે.

  • PM મોદી જલિયાંવાલા બાગના નવા પરિસરનું કરશે ઉદ્ઘાટન
  • વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા નવા પરિસરને રાષ્ટ્ર સમક્ષ કરશે સમર્પિત
  • પરિસરમાં બનેલા મ્યૂઝીયમ ગેલેરીનું કરશે ઉદ્ઘાટન

PM મોદી મ્યુઝીયમ ગેલેરીનું કરશે ઉદ્ઘાટન

આ ખાસ પ્રસંગે પીએમ મોદી જલિયાંવાલા બાગના પરિસરમાં બનેલા મ્યુઝીયમ ગેલેરીનું ઉદ્ઘાટન કરશે. ઉલ્લેખનીય છે કે, આ હત્યાકાંડના 102 વર્ષ પૂર્ણ થવાના અવસરે ચાલુ વર્ષે 13 એપ્રિલે જલિયાંવાલા બાગ સ્મારકના પુન:નિર્મિત પરિસરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતુ. પરંતુ કોરોના મહામારીને પગલે આ કાર્યક્રમને સ્થગિત કરવો પડ્યો હતો.

જલિયાંવાલા બાગ સ્મારકમાં શું હશે વિશેષ ?

જલિયાંવાલા બાગ સ્મારકના નવા પરિસરમાં ચાર મ્યુઝીક ગેલેરી બનાવવામાં આવી છે. આ બધી ગેલેરીમાં પંજાબમાં થયેલી ઘટનાઓના ઐતિહાસિક મુલ્યને દર્શાવવામાં આવ્યું છે. ગેલેરીને તૈયાર કરતી સમયે ઓડિયો અને વીડિયો ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે.  જેમાં પ્રોજેક્શન મેપિંગ અને 3ડીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

13 એપ્રિલ,  1919ના રોજ જલિયાંવાલા બાગમાં થયેલી ઘટનાને દર્શાવવા માટે લાઈટ એન્ડ સાઉન્ડ શોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જલિયાંવાલા બાગ હત્યાકાંડને યાદ કરીને હજી પણ લોકો થરથરી જાય છે. આ દિવસે બ્રિટિશ સેનાએ પ્રદર્શનકારીઓની શાંતિપૂર્ણ સભામાં ગોળીબાર કર્યો હતો. જેમાં 1000થી વધુ લોકો મોતને ભેટ્યા હતા અને સેંકડો લોકો ઘાયલ થયા હતા.

શહીદ કૂવાનું સમારકામ કરવામાં આવ્યું છે. પીએઓ મુજબ, જ્વાલા સ્મારકનો જીર્ણોદ્વાર કરવામાં આવ્યો છે. જળ નિકાયને એક લાલ તળાવના રૂપમાં ફરીથી જીવંત કરવામાં આવ્યો છે અને વધુ સારી શિપિંગ માટે માર્ગોને પહોળા કરવામાં આવ્યાં છે.

બીજી નવી અને આધુનિક સુવિધાઓને જોડવામાં આવી છે, જેમાં ઉપરમુજબના સંકેતોની સાથે આંદોલનના માર્ગ ફરીથી વ્યાખ્યાયિત કરવા, રણનીતિક સ્થાનોની રોશની અને વૃક્ષારોપણની સાથે આખા બગીચામાં ઓડિયોની વ્યવસ્થા કરવામાં આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ