પીએમ મોદી આજે સવારે ગાંધીઆશ્રમથી દાંડીમાર્ચની શરૂઆત કરાવવાના છે.
PM આવશે અમદાવાદ
ગાંધી આશ્રમથી દાંડી યાત્રાનું પ્રસ્થાન
75 વર્ષની ઉજવણીની કરશે શરૂઆત
દાંડી બ્રિજથી PM દાંડી યાત્રાનું પ્રસ્થાન કરાવશે
આવતા વર્ષે ભારતની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે આ અવસરન ખાસ બનાવવા માટે મોદી સરકાર દ્વારા અત્યારથી ખાસ આયોજન કરવામાં આવ્યા છે, દેશમાં અત્યારે અમૃત મહોત્સવ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે પીએમ મોદી અમદાવાદની મુલાકાતે આવશે અને અમૃત મહોત્સવમાં આજે દાંડી માર્ચને લીલી ઝંડી બતાવશે.
પીએમ મોદી આજે અમદાવાદ આવી રહ્યા છે જ્યાં ગાંધી આશ્રમથી દાંડી માર્ચની શરૂઆત કરવામાં આવશે. દાંડી પૂલથી આ પ્રતીકાત્મક યાત્રા શરૂ કરવામાં આવશે જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સાથે જોડાવાના છે.
સાબરમતી ગાંધીઆશ્રમનો 57 એકરમાં વિકાસ કરાશે
અમદાવાદના સાબરમતી ગાંધીઆશ્રમનું સંપૂર્ણપણે નવીનિકરણ કરવા માટેનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. 57 એકરમાં આશરે રૂપિયા 1200 કરોડના ખર્ચે સમગ્ર ગાંધીઆશ્રમ સંકુલનો વૈશ્વિક સ્તરે વિકાસ કરાશે. સમગ્ર વિસ્તારને સાયલન્ટ ઝોન જાહેર કરવામાં આવશે અને તેની સાથે આશ્રમના મકાનોને હેરિટેજ સ્વરૂપ અપાશે. આ ઉપરાંત અહીં 5 વિશ્વસ્તરીય મ્યુઝિયમ અને ફોટો ગેલેરી બનાવાશે.
હાલનો રસ્તો બંધ કરી વોક વે બનાવવામાં આવશે
આ સિવાય મોરારજી દેસાઇની સમાધિ અભયઘાટનો વિકાસ કરાશે અને સાથે જ ગાંધી સંશોધન અને વિકાસ, વિસ્તાર માટે નવો વિભાગ શરૂ કરાશે. હરિજન આશ્રમ, ગૌશાળા ટ્રસ્ટ, ખાદી ભવનનો પણ વિસ્તાર થશે. ગાંધી આશ્રમના ડેવલપમેન્ટનો બેઝિક ડિઝાઈન પ્લાન પણ તૈયાર કરી દેવાયો છે અને તેને કેન્દ્ર સરકારમાં ફાઈનલ મંજૂરી માટે મોકલાયો છે. ગાંધી આશ્રમના ડેવલપમેન્ટ માટે ગુજરાતના બિમલ પટેલને જ કામગીરી સોંપવામાં આવી છે. આપને જણાવી દઈએ કે, દિલ્હીના નવા પાર્લામેન્ટ હાઉસ અને વારાણસીના કાશી વિશ્વનાથ મહાદેવના નવસર્જનની ડિઝાઈન કામગીરી બિમલ પટેલે જ સંભાળી છે.