વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાના મતદાનને હવે ગણતરીનાં દિવસો બાકી છે. ત્યારે વડાપ્રધાનનો હવે તા.24 અને 25 નાં રોજ તેમનો ગુજરાત પ્રવાસનો કાર્યક્રમ ઘડાઈ રહ્યો છે.
વિધાનસભાની ચૂંટણીમાં વડાપ્રધાનનો ઝંઝાવતી પ્રચાર
બે દિવસના પ્રવાસ બાદ પ્રધાનમંત્રી મોદીનાં કાર્યક્રમની તૈયારીઓ શરૂ
24 અને 25 નવેમ્બરે ફરીથી ગુજરાતના પ્રવાસે આવશે પ્રધાનમંત્રી મોદી
વિધાનસભાની ચૂંટણી પ્રચારની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે પાંચ રાજ્યોનાં મુખ્યમંત્રી, બે નાયબ મુખ્યમંત્રી, આઠ કેન્દ્રીય મંત્રીઓ અને ભાજપના રાષ્ટ્રીય અને પ્રદેશ અધ્યક્ષો સહિતના નેતાઓ ચૂંટણી પ્રચારમાં જોતરાયા છે. ત્યારે વડા પ્રધાન મોદી પણ શનિવાર થી સોમવાર ત્રણ દિવસ ચૂંટણી પ્રચારમાં ગુજરાત આવ્યા હતા. ત્યારે સોમનાથ, અમરેલી, ધોરાજી અને બોટાદમાં વડાપ્રધાને સભા સંબોધી હતી. ત્યારે આગામી તારીખ 24 અને 25 નાં રોજ વડાપ્રધાન ફરી ગુજરાત પ્રવાસે આવવાનાં કાર્યક્રમની તડામારે તૈયારીઓ આરંભી દેવામાં આવી છે.
વડાપ્રધાન ફરી બે દિવસની ગુજરાત મુલાકાતે આવશે
ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાવાનું છે. ત્યારે વડાપ્રધાન 19 થી 21 દરમ્યાન ગુજરાતમાં ચૂંટણી પ્રચારમાં કર્યો હતો. ત્યારે હવે આગામી 24 અને 25 નવેમ્બરના રોજ ફરીથી વડાપ્રધાન ગુજરાત પ્રવાસે આવવાના છે. ત્યારે અત્યારથી ભાજપ દ્વારા તેમના કાર્યક્રમની તૈયારી આરંભી દેવામાં આવી છે. ત્યારે તા.24 નાં રોજ વડાપ્રધાન પાલનપુર, મોડાસા, દહેગામ, બાવળમાં સભા સંબોધશે. જ્યારે તા.25 નાં રોજ માતર, નેત્રંગ, ધરમપુર અને સુરતમાં જનસભાને સંબોધશે.
સભા સ્થળે ત્રણ હેલીપેડ બનાવવાનું શરૂ
વડાપ્રધાન આગામી તા. 23 અને 24 નાં રોજ ફરી ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે વડોદરામાં તા.23 નાં રોજ તેઓની જાહેર સભા યોજાવાની છે. ત્યારે વડોદરામાં વડાપ્રધાનની જાહેર સભાને લઈને સભા સ્થળે સાદો મંડપ બનાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તેમજ સભા સ્થળ પાસે ત્રણ હેલીપેડ બનાવવાની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે.
બોટાદમાં PM મોદી મોટી વાતો
બોટાદમાં મોદીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં શિક્ષણમાં 5Gનો યુગ શરૂ થઈ જવાનો છે 20 હજાર સ્કૂલ 5Gના દોરમાં પ્રવેશ કરે તે દિશામાં કામ કરાઈ રહ્યું છે તેમણે કહ્યું કે, નવી સિંચાઈ યોજના બને નવા રસ્તાઓ બને તે દિશામાં ભૂપેન્દ્ર પટેલની ટીમ પૂરી જહેમત સાથે કામ કરી રહી છે. તેમણે કહ્યું કે ભાજપનો તો સંકલ્પ છે જે સંકલ્પ લઈએ તે અમારી આંખો સામે પરિપૂર્ણ કરીએ છીએ. તેમણે કહ્યું કે, બોટાદમાં પહેલા પાણી સ્થિતી કેવી હતી એ મને ખબર છે તેમણે કહ્યું કે મને યાદ છે કે પહેલા એવું કહેવાતું દિકરીને બંદુકે દેજો પણ ધંધુકે ના દેતા.
'વીજળીથી આપણે જીવનના અંધકારેને દૂર કર્યો'
PM મોદીએ કહ્યું કે, વીજળીની કેવી સ્થિતી હતી તે મને યાદ છે પહેલા મને લોકો કહેતા કે, વાળું સમય સાહેબ વીજળી આપજો જ્યારે આપણે 24 ક્લાક વીજળી આપી છે લોકોને 24 કલાક વીજળી મળવાથી લોકોના જીવનના અંધકાર દૂર થયા છે.