સર્વદળીય બેઠકમાં PM નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ખેડૂત સરકાર એક કૉલ દૂર છે, ખેડૂતો ઇચ્છે છે તો ગમે ત્યારે વાત કરી શકે છે. PMની આ વાત પર પ્રતિક્રિયા આપતા રાકેશ ટિકૈતે તેમનો આભાર માન્યો.
PM મોદીના નિવેદનને રાકેશ ટિકેત આવકાર્યુ
અમે વાતચિતથી સમાધાન ઈચ્છીએ છીએઃ ટિકૈત
PM મોદીએ સર્વદળીય બેઠકમાં આપ્યુ હતુ નિવેદન
ભારતીય કિસાન યૂનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈતે PM મોદીના નિવેદનને આવકાર્યું છે. ટિકૈતે કહ્યું હતું કે, તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માને છે કારણ કે તેમણે ખેડૂતોને સંજ્ઞાનમાં લીધા. તેની સાથે જ તેમણે કહ્યું કે, સરકાર અને ખેડૂતો વચ્ચે પ્રધાનમંત્રી સંવાદ કરાવે. અમે વાતચિતથી સમાધાન ઈચ્છીએ છીએ. સિંઘુ બોર્ડર પર સરકાર પરિસ્થિતિ સામાન્ય કરે.
રાકેશ ટિકૈતે કહ્યું કે, મારા આસૂં નિકળ્યા તે ખેડૂતના આંસૂ હતા. ન સરકારનું માથુ ઝુકવા દઇએ ન ખેડૂતોની પાઘડી ઝુકવા દઇએ. અમારા લોકો પર પથ્થર ચાલશે તો ખેડૂત પણ એ જ છે અને ટ્રેક્ટર પણ એ છે.
શિવકુમાર કક્કાજીએ કહ્યું- સરકાર એક કૉલ દૂર છે તો અમે એક રિંગ દૂર છીએ
ત્યારે ખેડૂત નેતા શિવકુમાર કક્કાજીએ પણ આ પ્રતિક્રિયા આપી. જ્યારે તેમને સવાલ કરવામાં આવ્યો કે તમે સરકાર સાથે વાતચીત કરશો, જેના પર તેમણે કહ્યું કે, અમે જરૂર વાત કરીશું. જો તેઓ એક કૉલ દૂર છે તો અમે રિંગ દૂર છીએ. તેઓ જે દિવસે રિંગ કરી દે અમે તે દિવસે પહોંચી જઇશું. વાતચીતથી ઉકેલ આવવો જોઇએ. તેનાથી અમે પાછળ નથી હટ્યા. પ્રધાનમંત્રીએ વાતચીત માટે કહ્યું છે તો અમે તેનું સ્વાગત કરીએ છીએ.
પ્રધાનમંત્રી મોદીએ સર્વપક્ષીય બેઠકમાં શું કહ્યું?
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સર્વપક્ષીય બેઠકમાં કહ્યું હતું કે નરેન્દ્રસિંહ તોમરે ખેડૂતોને જે કંઈ કહ્યું તે હું દોહરાવવા માગુ છું. ખેડૂતો અને સરકાર વચ્ચે કોઈ સર્વસંમતિ સધાઈ શકી નથી તેમ છતાં અમે ખેડૂતોને ઓફર કરી રહ્યાં છીએ અને તમે આ અંગે ચિંતન મનન કરી શકો છો. તોમરે ખેડૂતોને કહ્યું હતું કે તેઓ જ્યારે પણ ઈચ્છે ત્યારે તેમને ફોન કરી શકે છે. પીએમએ કહ્યું કે, સરકાર વાતચીત દરમિયાન જે રજૂઆત કરી હતી, હજુ પણ તેના પર કાયમ છે.
મોદીએ કહ્યું હતું કે સરકારની દરખાસ્ત તો યથાવત જ છે. કૃપા કરીને સરકારની દરખાસ્ત અંગે તમારા ટેકેદારને જણાવો. સંવાદ દ્વારા સમસ્યાનો ઉકેલ આવવો જોઈએ. આપણે સૌથી પહેલા તો રાષ્ટ્ર વિશે વિચારવું પડશે. વડાપ્રધાન તમામ રાજકીય પક્ષોને ખેડૂતો સાથે વાતચીત કરવાની પણ અપીલ કરી.