5 જાન્યુઆરી 2022નાં જ્યારે PM મોદી પંજાબ ગયાં હતાં ત્યારે તેમનું જૂથ ભટિંડા એરપોર્ટથી હુસૈનીવાલા જવા દરમિયાન અડધો કલાક સુધી ફ્લાયઓવર પર ફંસાયેલ રહ્યું હતું આ કેસ માટે પંજાબ સરકાર એક્શનમાં છે. 8 IPS અને 1 IASની સામે કાર્યવાહી કરવામાં આવશે. . આ 9 અધિકારીઓને ચાર્જશીટ કરવા માટે CMને ફાઈલ મોકલી દેવામાં આવી છે.
8 IPS અને 1 IASની સામે કાર્યવાહી કરાશે
તત્કાલીન મુખ્ય સચિવ અનિરુદ્ધ તિવારી સિવાય DIG સિદ્ધાર્થ ચટ્ટોપાધ્યાય, SSP હરમનદીપ સિંહ હંસ, SSP ચરણજીત સિંહ, ADGP નાગેશ્વર, ADG નરેશ અરોડા, IG રાકેશ અગ્રવાલ, IG ઈન્દ્રવીર સિંહ અને DIG સુપજીત સિંહનાં નામ શામેલ છે.
કેન્દ્ર સરાકરે માગી કાર્યવાહીની રિપોર્ટ
હાલમાં જ કેન્દ્ર સરકારે PM મોદીની સુરક્ષામાં થયેલ ચૂકનાં મામલામાં પંજાબ સરકારને પત્ર લખીને કાર્યવાહીની રિપોર્ટ માગી હતી. કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ પંજાબનાં મુખ્ય સચિવ વિજય કુમાર જંજુઆને પત્ર લખીને દોષી અધિકારીઓની સામે અત્યારસુધીમાં કરવામાં આવેલી કાર્યવાહીનો વિસ્તૃત રિપોર્ટ માગ્યો હતો.
PM's security breach in Punjab in Jan 2022 | A petition was filed before Supreme Court. SC formed a panel which conducted an inquiry. They sent us the report. They examined roles of all officers, as to what was the lapse on whose part: Punjab chief secretary Vijay Kumar Janjua pic.twitter.com/5Fm8WWdVZS
સુરક્ષામાં થઈ હતી ચૂક
ગતવર્ષ 5 જાન્યુઆરીનાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પંજાબનાં ફિરોજપુર જિલ્લાનાં હુસૈનીવાલામાં જઈ રહ્યાં હતાં. આ દરમિયાન વરસાદનાં લીધે પીએમ મોદીને રોડ માર્ગથી જવું પડ્યું. પરંતુ આ દરમિયાન પ્રદર્શનકારીઓએ હુસૈનીવાલાથી આશરે 30 કિમીનો રસ્તો જામ કરી દીધો જેના લીધે PMનાં જૂથને અડધો કલાક સુધી એક ફ્લાયઓવર પર અટકાવું પડ્યું હતું.