પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત રાજ્યને ત્રણ મોટી ભેટ આપી છે. દિલ્હીથી વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા ત્રણ પ્રોજેક્ટનું ઇ-લોકાર્પણ કર્યું છે. પીએમ મોદીએ ઇ-લોકાર્પણ કર્યા બાદ કર્યું કે આ ત્રણેય પ્રોજેક્ટ ગુજરાતની ભક્તિ, શક્તિ અને સ્વાસ્થ્યનું પ્રતિક છે. જેમાં સર્વોદય યોજનાનો પ્રારંભ કરતાં પીએમ મોદીએ કહ્યું કે ખેડૂતોને હવે દિવસમાં વીજળી મળી શકશે.
ઇ-લોકાર્પણ બાદ PM મોદીએ સંબોધન કરતાં કહ્યું કે ગુજરાતના પૂજ્ય બાપુ, સરદાર પટેલથી લઇને અનેક લોકોએ દેશને નેતૃત્વ આપ્યું છે. સૂર્યોદય યોજનામાં સર્વોચ્ચ પ્રાથમિકતા ખેડૂતોને આપવામાં આવી છે. ગુજરાતમાં 24 કલાક વીજળી આપવી એક મોટો પડકાર હતો. વીજળીના ઉત્પાદનથી લઇ ટ્રાન્સમિશન સુધી મિશન મોડમાં કામ થયું. સૌર ઊર્જા માટે નીતિ બનાવનાર ગુજરાત પહેલું રાજ્ય હતું. સૌર ઊર્જાના ઉત્પાદનમાં ભારત પાચમાં ક્રમે છે.
પીએમ મોદીએ કહ્યું કે પહેલા ખેડૂતોને સિંચાઇ માટે રાત્રે જ વીજળી મળે છે, ખેડૂતોને રાત્રે જાગવું પડતું હતું, ત્યારે જૂનાગઢ-ગીર સોમનાથમાં તો જાનવરોનો પણ ખતરો રહે છે, ત્યારે હવે ખેડૂતોને રાત્રીના બદલે હવિ દિવસે થ્રી ફેસ વીજળી મળશે.
આગામી 2-3 વર્ષમાં નવી ટ્રાન્સમિશન લાઇનો લગાવવાનું કામ થશે, સૂર્યોદય યોજનાનો વિસ્તાર થશે ત્યારે લાખો ખેડૂતોનું જીવન બદલાશે. ખેડૂતોની આવક બમણી કરવા આપણા પ્રયાસો વધારવા જ પડશે. ખેડૂતો માટે નવા નવા પ્રયાસો થઇ રહ્યાં છે. સોલાર પંપોને પણ ગ્રીડ સાથે જોડાઇ રહ્યાં છે.
દેશમાં સાડા 17 લાખ ખેડૂતોને સોલાર પંપ લગાવવામાં મદદ કરાશે. ગુજરાતના બજેટનો મોટો હિસ્સો પાણી પાછળ જ ખર્ચ કરવો પડતો હતો. ગુજરાતના મોટા ભાગના ધરોમાં નળથી જળ પહોંચ્યુ છે. PM મોદીએ ખેડૂતો માટે પર ડ્રોપ, મોર ક્રોપનું સૂત્ર આપ્યું. ખેડૂતો પાણી બચાવવા પણ પ્રયાસ કરે છે.
ગુજરાતમાં આજ સર્વોદય સાથે આરોગ્યદય પણ નવુ નજરાણું મળ્યું છે. ગુજરાતે આરોગ્ય ક્ષેત્રમાં પણ ખુબ સારુ કામ કર્યુ છે. કેંદ્રની આરોગ્ય યોજનાઓનો લાભ ગુજરાતને વ્યાપક પ્રમાણમાં મળે છે.
ગિરનાર પર્વત પર માં અંબે અને ગોરખનાથ શિખર પણ છે. ગિરનારના શિખર પર પહોંચનાર અદ્દભુત શક્તિનો અનુભવ કરે છે. ગિરનાર પર જવા 5થી 6 કલાકનો સમય લાગતો હતો. ગિરનાર પર રોપ વે ના કારણે હવે 8 મિનિટમાં પર્વત પર પહોંચાશે. રોપ-વેથી વધુમાં વધુ શ્રદ્ધાળુંઓ દર્શન કરી શકશે. ગિરનાર રોપ-વે ગુજરાતનો ચોથો રોપ-વે છે.
ગિરનાર રોપ-વે મુદ્દે PM મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યાં. પીએમ મોદીએ કહ્યું કે ગિરનાર રોપ-વેમાં અડચણો ન ઉભી કરી હોત તો વહેલી સુવિધા મળી ગઇ હોત. ગુજરાતમાં અંબાજી, પાવાગઢ, ચોટીલા, ઉમિયા માતા, માતાનો મઢની દેવી શક્તિઓ છે. દ્વારકા પાસેના બીચને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મળી છે. SOU દુનિયાની સૌથી ઉંચી પ્રતિમાં ગુજરાતમાં SOUની 45 લાખથી વધુ લોકો મુલાકાત લઇ ચુક્યા છે. એક સમયે અમદાવાદના કાંકરિયા તળાવ પાસેથી કોઇ નીકળતુ ન હતું.