પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારના રોજ બ્રિટેનના પીએમ બોરિસ જૉનસન સાથે ટેલિફોનિક વાતચીત કરી. બંને નેતાઓએ કોરોના મહામારીના કારણે ઉભા થયેલા સંકટ પર ચર્ચા કરી અને વેક્સીન ડેવલપમેંટ-ઉત્પાદન પર ચર્ચા કરી. આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે કોરોના, રક્ષા સમજૂતિ, વેપાર જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થઇ.
PM મોદીએ UKના પ્રધાનમંત્રી સાથે કરી વાત
આગામી દાયકામાં ભારત-UKના સહયોગ મુદ્દે કરી ચર્ચા
વેપાર, રોકાણ, સુરક્ષા અંગે મહત્વપૂર્ણ ચર્ચા કરાઇ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી કહ્યું કે, મારા મિત્ર અને યૂકેના પ્રધાનમંત્રી બોરિસ જૉનસન સાથે એક સારી ચર્ચા થઇ. આ દરમિયાન આવનારા દાયકા સુધી ભારત-બ્રિટેન સંબંધોના મહત્વાકાંક્ષી રોડમેપ પર સાર્થક વાતચીત થઇ. અમે બધા ક્ષેત્રો-વેપાર અને રોકાણ, રક્ષા અને સુરક્ષા, જલવાયુ પરિવર્તન અને કોરોના સામે લડવાની દિશામાં કામ કરવા પર સમજૂતિ થઇ.
બંને દેશના નેતાઓ વચ્ચે વાતચીત દરમિયાન કોરોના અને બ્રેગ્ઝિટ પછીના સમમા ભારત-યૂકે વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવા કટિબદ્ધતા દર્શાવી. બંને નેતાઓ આ વાત પર સહમત થયા કે વેપાર, રોકાણ, વૈજ્ઞાનિક રિસર્ચ, વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ્સના આદાન-પ્રદાન અને રક્ષા, સુરક્ષા ક્ષેત્રમાં સહયોગની ઘણી સંભાવનાઓ છે.
Thank you Prime Minister Narendra Modi, great to speak to you. I'm very much looking forward to deepening and strengthening the UK-India relationship in 2021 and beyond: UK Prime Minister Boris Johnson
જ્યારે બીજી તરફ બ્રિટેનના પ્રધાનમંત્રી બોરિસ જોનસને પીએમ મોદીનો આભાર વ્યક્ત કર્યો. તેમણે પૂછ્યું કે તમારી સાથે વાતચીત કરતા ઘણું સારુ લાગ્યું. હું 2021માં અને તેનાથી આગળના સમયમાં પણ બ્રિટેન-ભારતના સંબંધોને મજબૂત કરવા માટે ઘણો ઉત્સુક છું.