દિલ્હીના શાહબાદ ડેરી વિસ્તારમાં સાહિલ નામના એક છોકરાએ 16 વર્ષની સગીર છોકરી સાક્ષીને ચાકુના ઘા મારીને હત્યા કરી નાખી અને ભાગી ગયો. આ કેસમાં દિલ્હી પોલીસે સાહિલની ઉત્તર પ્રદેશના બુલંદશહેરથી ધરપકડ કરી છે.
દિલ્હીમાં સાક્ષીની હત્યાના સમાચાર સાંભળીને PM મોદી ભાવુક થયા
પોલીસને મળ્યા બાદ અમે પરિવાર માટે ખાસ વ્યવસ્થા કરીશું : BJP
બીજેપી સાંસદ હંસ રાજ હંસએ કહ્યું કે દિલ્હીમાં સાક્ષીની હત્યાના સમાચાર સાંભળીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવુક થઈ ગયા. ઉત્તર-પશ્ચિમ દિલ્હીના સંસદસભ્ય હંસ રાજ હંસ આજે શાહબાદ ડેરી વિસ્તારમાં સાક્ષીના પરિવારને મળવા પહોંચ્યા હતા. આ પરિવારને મળ્યા બાદ સાંસદ હંસ રાજ હંસે કહ્યું કે આ સમાચાર સાંભળીને વડાપ્રધાન મોદી ભાવુક થઈ ગયા. PM મોદી અને ગૃહમંત્રી અમિત શાહે દિલ્હી બીજેપી નેતા વીરેન્દ્ર સચદેવા અને મને સાક્ષીના પરિવારને મળવા મોકલ્યા છે. સાંસદ હંસ રાજ હંસે કહ્યું કે પોલીસને મળ્યા બાદ અમે આ પરિવાર માટે ખાસ વ્યવસ્થા કરીશું.
#WATCH | "...I have spoken with the Police...You will not be able to watch the complete video (of the crime) if you are a parent, you will not be able to sleep..," says BJP MP Hans Raj Hans.
સાહિલની ઉત્તર પ્રદેશના બુલંદશહેરથી ધરપકડ કરવામાં આવી
દિલ્હીમાં સાક્ષી હત્યા કેસના આરોપી સાહિલની ઉત્તર પ્રદેશના બુલંદશહેરથી ધરપકડ કરવામાં આવી છે. રવિવારે સાહિલે 16 વર્ષની સગીર સાક્ષીની ચાકુના ઘા મારીને નિર્દયતાથી હત્યા કરી હતી. આ પછી તે ફરાર થઈ ગયો હતો અને બુલંદશહેરમાં તેની માસીના ઘરે છુપાઈ ગયો હતો. પોલીસથી બચવા સાહિલે પોતાનો ફોન પણ સ્વીચ ઓફ કરી દીધો હતો. જોકે, સાહિલના કોલ રેકોર્ડના આધારે દિલ્હી પોલીસે તેની બુલંદશહેરથી ધરપકડ કરી હતી.
#WATCH | Delhi | BJP MP Hans Raj Hans arrives at the residence of the 16-year-old girl who was murdered by accused Sahil.
The accused was produced before a court today and was sent to Police custody for 2 days. pic.twitter.com/Q9pRX7cfSi
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ આ ઘટના પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે દિલ્હીમાં બનેલી ઘટના ખૂબ જ દર્દનાક છે. જે રીતે યુવતીની છરી અને પથ્થર વડે હત્યા કરવામાં આવી તેની સખત શબ્દોમાં નિંદા કરવામાં આવે છે. દિલ્હી સરકાર તે છોકરાને સખત સજા અપાવવા માટે કોર્ટમાં સૌથી મોટા વકીલને મેદાનમાં ઉતારશે. સીએમ કેજરીવાલે કહ્યું કે અમે દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થાને લઈને ચિંતિત છીએ. સીએમ કેજરીવાલે કહ્યું કે દિલ્હી સરકાર સાક્ષીના પરિવારને 10 લાખ રૂપિયાની સહાય રકમ આપશે અને ગુનેગારને કોર્ટમાંથી સખત સજા અપાવવાનો પૂરો પ્રયાસ કરશે.
સાહિલે શા માટે સાક્ષીની હત્યા કરી?
સાહિલ અને સાક્ષી જૂન 2021થી રિલેશનશિપમાં હતા. સાહિલ પહેલા સાક્ષીના પ્રવીણ નામના યુવક સાથે સંબંધ હતા. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે સાહિલને શંકા હતી કે સાક્ષીનું તેના પૂર્વ બોયફ્રેન્ડ સાથે અફેર હતું. એટલું જ નહીં, સાહિલે થોડા દિવસ પહેલા સાક્ષીને ધમકી આપી હતી કે તે તેને મારી નાંખશે. સાહિલને શંકા હતી કે સાક્ષી તેના પૂર્વ બોયફ્રેન્ડ પ્રવીણ સાથે વાત કરી રહી છે અને તેની સાથે સંબંધ બાંધવા લાગી છે. સાક્ષીએ થોડા દિવસોથી સાહિલ સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું. આ બાબતે બંને વચ્ચે ઝઘડો થયો હતો. સાક્ષી સાહિલ સાથે બ્રેકઅપ કરવા માંગતી હતી, જ્યારે સાહિલ સતત તેને મળવાની કોશિશ કરતો હતો. શનિવારે પણ બંને વચ્ચે ઝઘડો થયો હતો. આ પછી સાહિલે સાક્ષીને મારવાનું નક્કી કર્યું.