દિલ્હી: ઉન્નાવ અને કઠુઆ ગેંગરેપ પર પ્રધાનમંત્રી મોદીનું પહેલી વખત નિવેદન સામે આવ્યું છે. પ્રધાનમંત્રી મોદીએ આ બંને ઘટનાઓ પર ખુબ દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે આ દિકરીઓના આરોપીઓને કોઈપણ કાળે છોડવામાં આવશે નહીં.
આ દિકરીઓને હવે ન્યાય મળીને જ રહેશે. પ્રધાનમંત્રી મોદીએ એવું પણ કહ્યું કે છેલ્લા બે દિવસમાં બનેલી ઘટનાઓ દેશ માટે શરમજનક છે. તેથી હું દેશવાસીઓને ભરોષો આપું છું કે આ આરોપીઓને કડકમાં કડક સજા થશે અને દિકરીઓને ન્યાય મળીને જ રહેશે.
ઉલ્લેખનીય છે કે તેમણે વધુમાં જણાવેલ કે ૧૯૭૨માં આંબેડકર મેમોરિયલનો વિચાર સામે આવ્યો હતો પરંતુ બીજી સરકારોએ આ પ્રોજેક્ટની ફાઇલો દબાવી દીધી હતી પરંતુ અમારી સરકાર પ્રોજેક્ટ પૂરો કરવા માટે તારીખો નક્કી કરતી રહી.
આપને જણાવી દઇએ કે મોદી કાર્યક્રમ સ્થળે મેટ્રો ટ્રેનમાં પહોંચ્યા હતાં તેમણે વધુ કહ્યું કે જે મહાપુરુષે સંસદના મધ્યસ્થ ખંડમાં બેસીને બંધારણની રચના કરી હતી તેમની તસવીર લગાવવા કોંગ્રેસ શાસનમાં જગ્યા નહોતી મળતી. ભાજપ સરકાર આવ્યા પછી આંબેડકરની તસવીર સેન્ટ્રલ હોલમાં લાગી છે.
Incidents being discussed since past two days cannot be part of a civilised society. As a country as a society we all are ashamed of it. I want to assure the country that no culprit will be spared complete justice will be done. Our daughters will definitely get justice: PM pic.twitter.com/4qY0znXXHM
આપને જણાવી દઇએ કે આજરોજ પી.એમ મોદીએ SC/ST એક્ટ મામલે પણ વાત કરતા જણાવ્યું હતું કે અમારી સરકાર SC/ST કાયદાને કોઈપણ કિંમતે નબળો પડવા દેશે નહીં. આજે દેશમાં SC-ST કાયદાને લઈને ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે.
અમારી સરકારે 2015માં દલિતો પર અત્યાચાર રોકવા માટે SC-ST કાયદાને વધારે કડક બનાવ્યો છે એટલું જ નહીં દલિતો વિરુદ્ધના ગુનાઓના દાયરામાં 47 ગુનાઓને SC/ST કાયદાના દાયરામાં લાવવામાં આવ્યા છે.